– કામ પૂર્ણ ન થતાં ભારતીય હિત રક્ષક પાર્ટીના અધ્યક્ષ સુનિલ સોનવણેની આંદોલનની ચીમકી 2018માં કામ પૂર્ણ કરવાનું હોય છતાં હજી પણ બ્રિજની કામગીરી પૂર્ણ ન થતાં બ્રિજ પર ઝાડી-ઝાંખરડા ઊગી નીકળ્યા
બારડોલી : વાત કરીએ વાહનોથી ધમધમતા કડોદરા બારડોલી માર્ગની તો આ માર્ગ પર આવતી દસ્તાન ફાટક પર 2016 માં રેલવે ઓવરબ્રિજની કામગીરી શરૂ કરાઇ હતી અને કામ 2018 માં પૂર્ણ કરવાનું હતું.પરંતુ આજે આ બ્રિજની કામગીરી 2022 માં પણ પૂર્ણ નહિ થતા ભારતીય હિત રક્ષક પાર્ટીએ ફરી બાયો ચઢાવી છે અને ફરી એકવાર બ્રિજના મુદ્દે આંદોલની ચીમકી આપી છે.સરકાર પર તીખા પ્રહાર કરતા ભારતીય હિત રક્ષક પાર્ટીના અધ્યક્ષે આક્ષેપ કર્યા હતા કે આ વિકાસને શરમ નથી આવતી એટલે અમારી પાર્ટીએ બ્રિજ પર ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરડા ની સાફ સફાઈ અભિયાન ચલાવવાની જરૂર પડી છે.આવા શાશનથી ભગવાન બચાવે મુજબનું જણાવ્યુ છે.
દસ્તાન ફાટક પર બની રહેલ બ્રિજ આમતો આ બ્રિજ 2016 માં વિધાનસભાની ચૂંટણી ને ધ્યાને રાખી આ બ્રિજનું ઉદ્ઘાટન કરી 2018 માં બ્રિજ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી.પરંતુ અફસોસ 80 કરોડના ખર્ચે જે બ્રિજની કામગીરી 2016 માં શરૂ કરાઇ હતી એની સમય મર્યાદા પૂર્ણ થયાને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો છે.છતાં કામગીરી પૂર્ણ થઈ નથી જેના કારણે વાહન ચાલકો ટ્રાફિકનો ભોગ બની રહ્યા છે.જ્યારે જ્યારે ભારતીય હિત રક્ષક પાર્ટીના અધ્યક્ષ સુનિલ સોનવણેની આગેવાનીમાં આંદોલન થયા છે ત્યારે તેમની અને કાર્યકરોની પોલીસે અટક કરી છે.પરંતુ ફરી એકવાર ભારતીય હીત રક્ષક પાર્ટી અધ્યક્ષ એ 16 એપ્રિલથી દસ્તાન ખાતે આંદોલનની ચીમકી આપી છે.અને હાલમાં બ્રિજ પર ઊગી નીકળેલા ઝાડી ઝાંખરડાની સફાઈ અભિયાન કરી સરકારને મેસેજ આપ્યો હતો કે જવાબદારી તમારી છે પણ ભારતના નાગરિક તરીકે સાફ સફાઈ અમે કરી રહ્યા છે.સુરત જિલ્લામાં એવા ઘણા વિકાસના કામો છે જે અધૂરા રહી ગયા છે.અને જનતા પરેશાન છે દસ્તાન રેલવે ઓવરબ્રિજ હોય કે પછી કિમ રેલવે ઓવરબ્રિજ આજે પણ સમય મર્યાદા પૂર્ણ થયા પછી પણ કામ પૂર્ણ થયા નથી જેના કારણે આમ જનતા કહે છે સરકારનો વિકાસ ગાંડો થયો છે.તો ભારતીય હિત રક્ષક પાર્ટી કહે છે સરકારના આ વિકાસ ને કોઈ શરમ પણ નથી. પણ અમે પ્રજાના સુખાકારી માટે જ્યાં સુધી દસ્તાન રેલવે ઓવરબ્રિજ નહિ બને ત્યાં સુધી આંદોલન,ધરણા કરતા રહીશું મુજબનું જણાવ્યુ છે.