નવી દિલ્હી : સરકારે ઇ-વે બીલની વેલીડીટીની મુદત લંબાવી છે અને જીએસટી હેઠળ ૧૦ ટકા ઇનપુટ ટેકસ ક્રેડીટની અરજીની તારીખ લંબાવીને ૩૦ એપ્રિલ કરી હોવાનું જાણવા મળેલ છે.આ પગલાથી ઉદ્યોગોને રાહત થશે.ર૦મી માર્ચ અને ૧પ એપ્રિલ વચ્ચે ઇ-વે બીલની વેલીડીટી પુરી થવાની હતી તે ૩૦મી એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે કે જેથી સપ્લાયને લગતા મુદાઓનો સામનો કરતી કંપનીઓને મદદ મળે આ ઉપરાંત સીબીઆઇસીએ ૧૦ ટકા ઇનપુટ ટેકસ ક્રેડીટ અંગેની અરજીની મુદત પણ લંબાવી છે.