By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકારે લવજેહાદ મુદ્દે ગંભીરતાથી કામ કરવાની જરૂર : ઉમિયાધામ પ્રમુખ જયરામ પટેલ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > સરકારે લવજેહાદ મુદ્દે ગંભીરતાથી કામ કરવાની જરૂર : ઉમિયાધામ પ્રમુખ જયરામ પટેલ
GeneralSaurashtra

સરકારે લવજેહાદ મુદ્દે ગંભીરતાથી કામ કરવાની જરૂર : ઉમિયાધામ પ્રમુખ જયરામ પટેલ

HM News
Last updated: 01/08/2022 9:21 AM
HM News
3 years ago
Share
SHARE

– પરિષદમાં લવજેહાદનાં મુદ્દા ઉપર ભાર મૂક્યો

સિદસર ઉમિયાધામનાં પ્રમુખ અને પાટીદાર અગ્રણી જયરામ પટેલ આજે રાજકોટ આવી પહોંચ્યા છે.અહીં શહેરનાં 150 ફૂટ રિંગરોડ પાસે તેમના દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પત્રકાર પરિષદમાં લવજેહાદનાં મુદ્દા ઉપર ભાર મુકતા તેમણે કહ્યું હતું કે, સરકારે આ મુદ્દે ગંભીરતાથી કામ કરવાની જરૂર છે.જ્યારે વિધાનસભા ચૂંટણીઓ અંગે જણાવતા કહ્યું હતું કે, પાટીદાર સમાજનાં ઉમેદવારો માટે ગત ચૂંટણીમાં શાસક પક્ષે 50 ટીકીટો આપી હતી.આ વખતે પણ ટીકીટ માંગવામાં આવશે..

જયરામ પટેલનાં જણાવ્યા મુજબ, લવજેહાદ મોટો પ્રશ્ન છે અને સરકારે ગંભીરતા પૂર્વક લવ જેહાદ મુદ્દે કામ કરવુ જરૂરી છે.લવજેહાદ મામલે ખાસ કાયદો બનાવવો જોઇએ.જે અંતર્ગત લગ્ન કરવા માટે માતા પિતાની સહમતી ફરજીયાત કરવી જોઈએ. સામાન્ય રીતે કોલેજમાં ભણતી દીકરીઓમાં પીઢતા હોતી નથી. માટે માતા-પિતા અને સરકારે જાગૃત રહેવાની જરૂર છે.વધુ પડતી રીતે પીજી કે હોસ્ટેલમાં રહેતી દીકરીઓ જ લવજેહાદનો ભોગ બને છે.જો કે સમાજના ભવનમાં રહેતી દીકરીઓમાં લવ જેહાદનો પ્રશ્ન ઓછો બને છે.તો સાથે જ લવમેરેજ સમયે રજિસ્ટ્રાર સમક્ષ માતા પિતાની હાજરી ફરજીયાત કરવા સહિતનાં નિયમો બનાવવા જોઈએ.સાથે જે દીકરીઓ પરત આવવા માંગતી હોય તે મુદ્દે પણ કામ કરવું જરૂરી છે.આ માટે અમારી સંસ્થા કટિબદ્ધ છે.ત્યારે હવે સરકાર આ મુદ્દે શુ પગલાં લેશે તે જોવું રહ્યું.

બીજી તરફ આગામી વિધાનસભા-2022ની ચૂંટણીઓ અંગે જયરામ પટેલે કહ્યું હતું કે, લોકશાહીમાં તમામને ટિકિટ માંગવાનો અધિકાર છે.ગત વિધાનસભાની ચૂંટણીમાં 50 ટિકિટની માંગણી કરવામાં આવી હતી.અને શાસક પક્ષે 50 ટિકિટ આપી પણ હતી. ત્યારે આ વખતે પણ ટિકિટ માંગવામાં આવશે.કારણ કે 25 થી વધારે સીટ ઉપર પાટીદાર સમાજની નિર્ણાયક ભૂમિકા રહે છે.ખાસ તો વિધાનસભા – 69 સીટ માટે પાટીદાર ઉમેદવારને ટિકિટ મળે તેવા પ્રયત્નો કરીશું.અત્યાર સુધી આ બેઠક પર બ્રાહ્મણ, લોહાણા,વાણિયા અને કારડીયા તેમજ ખુદ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આ સીટ પરથી લડ્યા અને જીત્યા છે.ત્યારે આ બેઠક પાટીદાર સમાજ માટે મહત્વની બની રહેશે.ઉલ્લેખનીય છે કે, હાલ આ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ધારાસભ્ય છે.

75 વર્ષ અગાઉ કેવી રીતે થયા હતા ભારતના બે ટૂકડા, લાખો લોકોને સહન કરવુ પડ્યું હતું વિભાજનનું દર્દ
મુંબઈમાં 64 સ્થળોએ 4 લાખ દેશી વૃક્ષોનું વાવેતર
સુરતમાં ડમ્પર ચાલકે મહિલા પોલીસકર્મીને અડફેટે લેતા મોત
શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ ફરી એકવાર સાથે નજરે પડશે
કુમકુમ તિલક-દક્ષિણા સાથે પાદરે મૂકેલી રામ શિલા ઉપર પછી કૂતરાઓ…!?
Share This Article
Facebook Email Print
Previous Article વડોદરા : વિદ્યાર્થી પાસે દારૂ અથવા રૂપિયા માંગનાર પ્રોફેસર નિકુલ પટેલની હકાલપટ્ટીની માંગ,જાણો શું છે મામલો
Next Article હિંદુત્વવાદી સરકારમાં મંદિર ડિમોલિશ કરાતા પાટીલના મતક્ષેત્ર નવસારીમાં ભાજપના 1100 કાર્યકરોએ આપ્યાં રાજીનામાં
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up