નવી દિલ્હી: દેશમાં એક તરફ ડુંગળીના ભાવમાં થયેલા મોટા વધારાને ડામવા માટે કેન્દ્ર સરકાર પાસે કોઈ સીધો માર્ગ નહી હોવાથી હવે સુધારેલા આવશ્યક ચીજવસ્તુ ધારાની ખાસ કલમનો ઉપયોગ કરીને સ્ટોક નિયંત્રણો લાદી દીધા છે તે બુમરેંગ થઈ શકે છે અને દેશમાં ડુંગળીને સૌથી મોટા વ્યાપાર કેન્દ્ર નાસીકમાં જથ્થાબંધ વેપારીઓ આ સ્ટોક લીમીટના વિરોધમાં હડતાલ પર ઉજરી જતા હવે નવી ખરીદી પણ બંધ થતા બજારમાં પૂરવઠાની ખેચના કારણે ભાવ વધુ ઉંચા જઈ શકે છે. હાલ નાસીકમાં ડુંગળી રૂા.80 પ્રતિ કીલોના ભાવે વેચાઈ રહી છે જે રૂા.100 થશે અને દેશમાં તે 110-120ના ભાવે આવી શકે છે. સરકારે દેશમાં ડુંગળીના ભાવ વધતા હોલસેલ વેપારીઓ માટે 25 ટન અને છૂટક વેપારીઓ માટે 2 ટનની સ્ટોક મર્યાદા બાંધી છે. વેપારીઓ ડુંગળી નહી ઉપાડે તે નિશ્ર્ચિત થતા ખેડુતો પણ તેમનો માલ મંદીમાં લાવતા નથી જેથી પુરવઠાની નવી ખેપ બની શકે છે.
અહી રોજ 1.5 લાખ ટન ડુંગળીનો વેપાર થાય છે જે અલગ અલગ 15 મંડીઓ હાલ ડુંગળીનો વેપાર કરતી નથી. વેપારીઓની દલીલ છે કે
નાશિક જીલ્લાના ખેડૂતો જ્યાં સુધી પોતાની પાસે પડેલી ડુંગળીનું વેચાણ નહીં થાય ત્યાં સુધી નવી ડુંગળી ખેડૂતો પાસેથી ખરીદી કરશે નહીં.જો વેપારીઓ દ્વારા ખરીદી ચાલુ રાખવામાં આવે તો સ્ટોક લીમીટના કાયદાનો ભંગ થઇ શકે છે. બીજા રાજ્યોના વેપારીઓ દ્વારા પણ હાલ ડુંગળીની ખરીદી અટકાવી દેવામાં આવી છે.
અમારે જુની ડુંગળીનો સ્ટોક ખાલી કરવા માટેનો સમય જોઇએ અને જ્યાં સુધી જુની ડુંગળી વેચાણ ન થાય ત્યાં સુધી નવી ખરીદી શક્ય નથી. મોટા વેપારીઓએ હાલમાં સ્ટોક લીમીટના કાયદા મુજબ વેપાર કરવો ખુબ જ મુશ્કેલભર્યો છે. જો અમે અમુક જથ્થો બીજા રાજ્યોમાં વેચાણ કરીએ તો પણ તેને ત્યાં ડીલીવરી પહોંચે તેમાં સમય લાગી શકે તેમ છે. સરકારે ડુંગળીમાં સ્ટોક લીમીટ લાધા પહેલા સમય આપવાની જરૂર હતી.
નાશીકમાં ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તાજેતરમાં દરોડાની કામગીરી હાથ ધરવામાં આવ્યા બાદ સરકારે ગત સપ્તાહે ડુંગળી ઉપર સ્ટોક લીમીટ લાદી છે,પરંતુ આયાતકારોને તેમાંથી મુક્તિ આપી છે.પગલે આયાત વેપારો આગામી દિવસોમાં વધી જાય તેવી પુરી સંભાવના છે.
દરમિયાન ડુંગળીમાં સ્ટોક લીમીટને પગલે ડુંગળીના ભાવ સોમવારે એક જ દિવસમાં મણે રૂા.200 નીકળી ગયા હતા. મહુવામાં ભાવ રૂા.860 પ્રતિ 20 કિલો બોલાતા હતા જે વધીને રૂા.1200 સુધી પણ ગયા હતા.આમ સ્ટોક લીમીટ બાદ ભાવ રૂા.400 તુટી ગયા છે.
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી ઉપર સ્ટોક લીમીટ લાદવા છતાં બજારમાં કેટલાક વેપારીઓ કહે છે કે ડુંગળીના ભાવ ફરી ગમે ત્યારે વધી શકે છે.ડુંગળીનો સ્ટોક જ નથી અને નવો પાક બળી ગયો હોવાથી નવી સિઝન શરૂ થાય ત્યાં સુધી ડુંગળી મળવી મુશ્કેલ છે જેને પગલે ભાવ ઉંચકાય શકે છે.