રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.જ્યારે આજે સાંજે 7 વાગ્યા સુધીમાં કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે.કોરોનાના કેસો વધતા ગુજરાત વાઇબ્રન્ટ સમિટ અશ્ચિત સમય માટે મોકૂફ રખાઈ છે.
કોવિડને લગતા તમામ લેટેસ્ટ અપડેટ અહીં વાંચો
સાથે જ અમદાવાદમાં યોજાતા વિવિધ કાર્યક્રમો પણ રદ કરાયા છે.ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 15 જાન્યુઆરી સુધી તેમના તમામ કાર્યક્રમો રદ કર્યા છે.મંત્રીઓ અને અધિકારીઓ સાથે ચર્ચા કરી સરકાર સાંજે 7 વાગ્યા સુધી કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે.
વિવિધ પ્રતિબંધો લાદી શકે છે સરકાર
રાજ્ય સરકારે કોરોનાના કેસ વધતા વાયબ્રન્ટ સમિટ મોફૂક રાખી છે.તો બીજી તરફ સરકાર કોવિડ પ્રતિબંધને વધારે કડકાઈ સાથે લાગુ કરાવી શકે છે.સરકાર આજે નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે.સરકાર થિયેટર, પાનનાં ગલ્લા બંધ કરાવી શકે છે.રેસ્ટોરન્ટ,હેર સલુન અને બ્યુટી પાર્લર ૫૦ ટકા કેપેસિટી સાથે ચાલુ રાખી શકે છે.સરકાર વીક એન્ડ કર્ફ્યુ પણ લાદી શકાય છે.વેક્સિનેશનને કારણે શાળા બંધ કરવી કે નહિ તે અંગેનો નિર્ણય ૧૦ જાન્યુઆરી બાદ લેવાશે.