By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સરકાર સાથે ઠગાઇ કેસમાં નવસારી ACB એક્શનમાં,ધરમપુર ખેતતલાવડી કૌભાંડમાં 2 ખાનગી ઓડિટરની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સરકાર સાથે ઠગાઇ કેસમાં નવસારી ACB એક્શનમાં,ધરમપુર ખેતતલાવડી કૌભાંડમાં 2 ખાનગી ઓડિટરની ધરપકડ
GeneralSouth Gujarat

સરકાર સાથે ઠગાઇ કેસમાં નવસારી ACB એક્શનમાં,ધરમપુર ખેતતલાવડી કૌભાંડમાં 2 ખાનગી ઓડિટરની ધરપકડ

HM News
Last updated: 29/01/2021 5:33 AM
HM News
4 years ago
Share
SHARE

નવસારી : નવસારી એસીબીએ ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ. દ્વારા વલસાડમાં ખેતતલાવડી બનાવી નહીં હોવા છતાં તેમના ખોટા બીલો બનાવીને તેનું ઓડિટ કરનારા પીપારા કંપનીના બે ઓડિટરે આરોપીને મદદગારી અને સરકાર સામે છેતરપિંડી કરી હોવાથી નવસારી એસીબીએ તેમની અટક કરી હતી.

ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ.દ્વારા વલસાડમાં અધિકારીઓ દ્વારા વર્ષ 2017-2018 દરમિયાન ખેડૂતોના ખેતરમાં ખેતતલાવડી નહીં બની હોવા છતાં તેના બીલ પાસ કરી સરકાર પાસે સહાય મેળવી હતી.આ બાબતે નવસારી એસીબી પીઆઈ બી.જે.સરવૈયા તપાસ કરી રહ્યા હતા.તપાસમાં ખુલ્યું કે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિ. અંતર્ગત તલાવડી બાબતે ઓડિટર તરીકે પીપારા એન્ડ કંપનીનાં બે ઓડિટર દ્વારા ખોટા બીલ મુક્યા હતા તેને પાસ કરી તેને ફાઈનલ ગણાવી સરકાર સામે છેતરપિંડી કરી હતી.જેમાં વર્ષ-2017ના કેસમાં 8 ખેતતલાવડી બનાવી નહીં હોવા છતાં તેના બીલો બનાવીને કુલ રૂ. 6.92 લાખનું નુકસાન પહોચાડ્યું હતું.જેમાં ઓડિટર ભોમિક દિલીપ ગાંધીએ આરોપીઓને સાથ આપ્યો હોય તેમનાં નામે ફરિયાદ નોંધાઈ હતી.

વર્ષ-2018માં ધરમપુરનાં બારોલીયા ગામના ખેડૂતોના ખેતરમાં ખેતતલાવડી નહીં બની હોવા છતાં 2.13 લાખના ખોટા બીલો પાસ કરી સરકારને ચૂનો લગાવનારા પીપારા કંપનીનીનાં મિતેશ દિલીપ ત્રિવેદી (ઓડિટર) વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. એસીબીએ ભોમિક ગાંધી અને મિતેશ ત્રિવેદીની અટક કરી આગળની તપાસ કરી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધરમપુરની ગુજરાત જમીન વિકાસ નિગમની કચેરીના અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો દ્વારા ખેડૂતો માટેની સરકારી યોજના હેઠળ બોગસ ખેત તલાવડીનું લાખોનું કૌભાંડ આચરવાના કેસમાં એસીબીએ સીએ પેઢીના 2 ખાનગી ઓડિટરની ધરપકડ કરી છે.આ બંન્ને ઓડિટરોએ ગુનાહિત બેદરકારી દાખવી હોવાનું તપાસમાં બહાર આવતાં એસીબીએ તેમને પણ સિકંજામાં લીધા છે.

કોરોના: રસીકરણ અટકતાં 11.7 કરોડ બાળકોને ઓરીનો ખતરો
લોકડાઉન પછી ‘ઓડ ઇવન’ સિસ્ટમ સાથે સ્કૂલો શરૂ કરવા વિચારણા
મુંબઈ આવતી ફલાઈટને સુરત ડાઈવર્ટ કરાઈ, મુંબઈમાં તાઉતે વાવાઝોડાને પગલે ત્રણ કલાક એરપોર્ટ બંધ
કોરોના : ઈટાલીમાં અત્યાર સુધીમાં 15,362ના મોત, કોરોના સંક્રમિત કેસની સંખ્યા 1.25 લાખ
દિલ્હી: ધારાસભ્યોના વેતનમાં 2/3 ગણો વધારો, પ્રતિમાસ મળશે વધુ રૂ. 36 હજાર, છતાં અસંતુષ્ટિ
Share This Article
Facebook Email Print
Previous Article ચૂંટણીને લઈ ડાંગ જિલ્લામાં ઉમેદવારો સાથે સમર્થકોની બુથ વિશ્લેષણ અંગે બેઠક યોજાઇ
Next Article વલસાડ નગરપાલિકા સામાન્ય સભામાં મહિલાઓ શૌચાલયનો ડબ્બો લઈ ઘૂસી જતાં હંગામો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up