સરકાર સામે એક સાંધે ત્યાં તેર તૂટેની સ્થિતિ, હવે ST વિભાગનો વિરોધ

HM News
3 Min Read

– ગુજરાત ST વિભાગના 44000 કર્મચારીઓ ખાનગીકરણ અને બોનસ,એરિયર્સ,પગાર સહિતના 13 પડતર પ્રશ્નોને લઈ આંદોલનના માર્ગે
– 17 થી 20 સપ્ટેમ્બર કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે
– 21 અને 22મી એ ઘંટનાદ કરી વિરોધ પ્રદર્શન

ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ GSRTC ના 44000 કર્મચારીઓએ પોતાની પગાર,બોનસ,એરિયર્સ,ઓવરટાઈમ,અન્ય એલાઉન્સ સહિતની પડતર 13 માંગોને લઈ ફરી રાજ્ય સરકાર સામે ધોકો પછાડ્યો છે.જો 22 મી સુધી એસટી કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહિ લાવવામાં આવે તો રાજ્યવ્યાપી અચોક્કસ મુદતની હડતાલનું અલ્ટીમેટમ અપાયું છે.ગુજરાત રાજ્ય ST ના કર્મચારીઓ હવે રાજ્ય સરકાર સામે પુનઃ પડતર પ્રશ્નોને લઈ આંદોલન છેડવા તરફ વળ્યા છે.રાજ્ય સ્ટેટ ટ્રાન્સપોર્ટના માન્ય 3 કામદાર યુનિયનની સંકલન સમિતિએ જો 15 સપ્ટેમ્બર સુધીમાં 13 મુદ્દાઓનો ઉકેલ નહિ લવાઈ તો 16મી થી રાજ્યવ્યાપી દેખાવો અને તબક્કાવાર આંદોલન કરવાનું અલ્ટીમેટમ આપ્યું છે.

કર્મચારીઓના પગાર,એરિયર્સ,સેટલમેન્ટ, ટી.એ.,ડી.એ.,ઓવરટાઈમ,આશ્રિતોને નોકરી,ફિક્સ પગારના કર્મચારીઓ સહિતના પ્રશ્નો ઉકેલવા માંગ કરાઈ છે.જો 16 સપ્ટેમ્બરથી જો નિગમ અને સરકાર નિવેડો નહિ લાવે તો રાજ્યના 16 ડિવિઝનના તમામ 44000 કર્મચારીઓ આંદોલન ઉપર ઉતરશે. 22મી સુધી સુત્રોચ્ચારો, કાળીપટ્ટી ધારણ કરી વિરોધ,ઘંટનાદ છતાં કામદારોના હિતમાં નિર્ણય નહિ લેવાઈ તો 23મી થી રાજ્ય વ્યાપી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી જશે. ST કર્મચારીઓ અચોક્કસ મુદત સુધી માસ CL ઉપર ઉતરતા રાજ્યમાં 8500 બસોના પૈડા થંભી જશે.

રાજ્ય વ્યાપી ST કામદારોનું તબક્કાવાર આંદોલન

16 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી, રાજ્ય અને કેબિનેટ વાહનવ્યવહાર મંત્રીને ટેક્ષ મેસેજ,સોશ્યલ મીડિયા ઉપર મેસેજ કરી માંગણીઓ રજૂ કરશે
17 થી 20 સપ્ટેમ્બર કાળી પટ્ટી ધારણ કરી રિસેસમાં સુત્રોચ્ચારો કરશે
21 અને 22 સપ્ટેમ્બરના રોજ નિગમના તમામ કર્મચારીઓ ઘંટનાદ કરી વિરોધ નોંધાવશે
23 સપ્ટેમ્બરના રોજ નિગમના તમામ કર્મચારીઓ સ્વયંભૂ માસ સી.એલ. ઉપર જશે

રાજ્ય સરકાર સામે એક પછી એક વિરોધ પ્રદર્શન સામે આવી રહ્યા છે.હજી તો જૂની પેન્શન યોજના અંગેનો વિરોધ શાંત થયો નથી ત્યાં તો ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વિભાગનાં કર્મચારીઓ સહિત એસટી મજદૂર મહાસંઘના કર્મચારીઓ દ્વારા અનેક પડતર માંગણીઓના મુદ્દે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.જેમાં આજરોજ એસટી વિભાગના અનેક કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી ધરણા પ્રદર્શન કરી રહ્યા છે.ગુજરાતમાં ગતરોજ સરકાર દ્વારા પેન્શન યોજના અંગે નિર્ણય લેવામાં આવ્યા બાદ હવે એસટી નિગમના કર્મચારીઓ પોતાની અનેક પડતર માંગણીઓને લઇને આંદોલન કરી રહ્યા છે.ત્યારે તા 14ના રોજ સોશિયલ મિડીયા દ્રારા સરકારનો વિરોધ કરાયા બાદ હવે આજરોજને કાળી પટ્ટી બાંધીને એસટી વિભાગના કર્મચારીઓ ધરણા પ્રદર્શન ચાલુ કર્યો છે.એસટી નિગમના 44000 જેટલા કર્મચારી એકજૂથ થઈને લડત આપી રહ્યા છે.એસટી નિગમના કર્મચારીઓએ કેટલાક મહત્વના મુદ્દાઓ સાથે સરકારમાં રજુઆત કરી હતી પરંતુ,તેને કોઈ ઉકેલ નહીં આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે.ત્યારે જ્યાં સુધી તેમની અનેક માંગણીઓનો સ્વીકાર કરવામાં નહિ આવે ત્યાં સુધી તેઓ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *