સરીગામની નવી GPCB કચેરીના લોકાર્પણને ચૂંટણીનું ગ્રહણ લાગ્યું

HM News
1 Min Read

સરીગામ : સરીગામ જીપીસીબીની કચેરીનું નવું મકાન બનીને તૈયાર છે.કોરાના કાળને કારણે લોકાર્પણ અટયું હતું જેને હવે તા.પં.-જિ.પં.નીચૂંટણીનું ગ્રહણ લાગ્યું છે.સરીગામ જીઆઇડીસીના કેમિકલ ઝોનમાં જીઆઇડીસી દ્વારા ફાળવેલ પ્લોટમાં જીપીસીબી કચેરીનું અદ્યતન સાધન અને સુવિધા વાળું મકાન બનીને તૈયાર છે.વન અને પર્યાવરણ મંત્રી જ્યદર્થ સિંહ પરમારના હસ્તે 18મી નવેમ્બર 2019 ના રોજ ભૂમિ પૂજન કરાયું હતું.છેલ્લા 6 માસથી વધુ સમયથી મકાન બનીને તૈયાર છે.સરકાર કોરાનાને લીધે કચેરીનું લોકાર્પણ કરી શકી ન હતી.હાલ લોકાર્પણની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યારે ફરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થતાં આચાર સંહિતાને લીધે લોકાર્પણની રાહ જોવી પડશે.નવી કચેરીનું લોકાર્પણ ન થતાં કર્મચારીઓને અપૂરતી સુવિધા વાળા મકાનમાં બેસી કામગીરી કરવાની ફરજ પડી રહી છે.કર્મચારીઓને સેમ્પલોનું પુથ્યકરણ માટે વાપી સુધી લંબાવવાની ફરજ પડી રહી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *