વલસાડ, 09 જૂન : ભીલાડથી ફણસા જતા સ્ટેટ હાઇવે પોહળો કરી નવીનીકરણ કરવા માટે રૂ 14 કરોડ ની માતબર રકમની ફાળવણી કરવામાં આવી હતી.વરસાદી પાણીના નિકાલ માટે રોડની બન્ને બાજુ બોક્ષ ગટરનુ નિર્માણ કાર્ય હાથ ધરનાર હતું.સ્ટેટ હાઇવે ને 7 મીટરથી 10 મીટર પોહળો બનાવવા માટે ફણસાથી સરીગામ જતા સ્ટેટ હાઇવેની સાઇટ પર ખોદકામ કરવમાં આવ્યું હતું. દેશમાં કોરાના વાયરસના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કર્યું હતું.લોકડાઉનમાં કામકાજો બંધ થતાં ફણસા સરીગામ સ્ટેટ હાઇવેનું કામકાજ બંધ થયું હતું.તંત્ર દ્વારા સ્ટેટ હાઇવે કિનારે કરેલ ખોદકામ બાદ માર્ગ કિનારે ભય જનક પટ્ટા કે આડ ઉભી ન કરાતાં વરસાદી મોસમમાં રાત્રી દરમ્યાન આ માર્ગ વાહન ચાલકો માટે જોખમી પુરવાર થશે.