સળંગ ૪૦ મકાનમાંથી રૃા. ૮૮ હજારની ઇલેકટ્રીક એમસીબી સ્વીચની ચોરી

HM News
1 Min Read

અમદાવાદ : નરોડા વિસ્તારમાં સ્મશાન ચાર રસ્તા પાસે નવા બનેલા મકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનોના દરવાજા ખોલીને અંદરથી ઇલેક્ટ્રીક એમ.સી.બીની મેઇન કુલ રૃા.૮૮ હજારની ૪૦ સ્વીચોની ચોરી કરી હતી.જ્યારે રામોલ જનતાનગરમાં મકાનમાં પ્રવેશીને રૃા.૮૮ હજારના દાગીનાની ચોરી કરી હતી.

આ કેસની વિગત એવી છે કે નરોડા કઠવાડા રોડ ઉપર શુરભી શિલાલેખ સોસાયટીમાં રહેતા અને નરોડા સ્મશાન રોડ ચાર રસ્તા પાસે નવી બનેલી દેવ આશિષ સ્કાય નામની સાઇડ ઉપર સુપરવાઇઝર તરીકે નોકરી કરતા વિનોદસિંહ ભવાનસિંહ ચાવડા(ઉ.વ.૩૯)એ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા.૬ના રોજ સવારે સાઇડ ઉપર આવીને જોયું તો ઇ બ્લાકમાં આવેલા ૪૦ મકાનમાં ચોરી થઇ હતી જમાં ખાસ કરીને તસ્કરો મકાનમાં ઘૂસીને રૃા.૮૭,૯૦૦ની કિંમતની ઇલેકટ્રીકની એમ.સી.બીની મેઇન સ્વીચોની ચો રી કરી હતી.બીજા બનાવમાં રામોલ જનતાનગર ખાતે રહેતા અહેમદભાઇ ઇબ્રાહીમભાઇ મંસુરીના મકાનમાં તા.૬ના રોજ તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનમાંથી રોકડા રૃા.૧૫૦૦ તથા સોના ચાંદીના દાગીના મળી કુલ રૃા. ૮૮,૧૦૦ની મત્તાની ચોરી કરી હતી.રામોલ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *