સાન્તાની સરપ્રાઈઝ : મુંબઈથી સાન્તાક્લોઝ સાથે વિમાનમાં બેસી અમદાવાદ પહોંચ્યા પ્રવાસીઓ, એરપોર્ટ પર લગેજ સાથે મળી સરપ્રાઈઝ ગિફ્ટ

HM News
1 Min Read
  • અમદાવાદ એરપોર્ટને નાતાલની ઉજવણીને લઈને શણગારવામાં આવ્યું

 

મુસાફરોને એરપોર્ટ પર મળી સરપ્રાઈઝ : અમદાવાદ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટને નાતાલના તહેવાર નિમિત્તે શણગારવામાં આવ્યું છે. ત્યારે મુસાફરોના પ્રવાસ દરમિયાન તહેવારની ઉજવણી એરપોર્ટ એથોરિટીએ પણ કરી. જે સંદર્ભે યાત્રિકોને સરપ્રાઈઝ મળે તે માટે મુંબઇ એરપોર્ટ પરથી જ એક માણસને સાન્તાક્લોઝના વેશમાં કાઢવામાં આવ્યો હતો. જ્યારે આ ફ્લાઈટ અમદાવાદ પહોંચી ત્યારે પણ તેમની સાથે ઉતર્યા, જેઓ લેન્ડ થયેલા પ્રવાસીઓને લગેજ બેલ્ટ પર એરિયામાં લઈ ગયા. જ્યાં લગેજની સાથે સરપ્રાઈઝ ગિફ્ટ પણ આવવા લાગ્યા, જે જોઈને પ્રવાસીઓ પણ જોઈ આશ્ચર્યમાં મૂકાયા.

કોરોનાના કેસ વધતા એરપોર્ટ પર ખાસ તકેદારી
એક તરફ જ્યાં દેશ અને ગુજરાતમાં કોરોનાના કિસ્સા ફરી એકવાર વધી રહ્યા છે અને તેવામાં ખાસ એરપોર્ટ પર આવતા પ્રવાસીઓ માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. કોવિડની આ સ્થિતિમાં એક હકારાત્મક વાતાવરણ ઉભું થાય તે માટે આ ખાસ પ્રયોગ કરવામાં આવ્યો હતો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *