[weather_data]
Breaking News
TRENDING NEWS

સાબરકાંઠામાં વરઘોડા પર ત્રાટકી પોલીસ, વરરાજા સહિત 17 સામે ગુનો દાખલ

[updated_date] [post_views]

Table of Content

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસો સતત વધી રહ્યા છે. 1 એપ્રિલથી રાજ્યમાં કોરોનાનો સંક્રમણ ખૂબ જ વધ્યું છે અને 22 એપ્રિલના રોજ 13,105 પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. આ ઉપરાંત 5,010 દર્દી સારવાર લઈને સ્વસ્થ થયા હતા. રાજ્યમાં કોરોનાની સારવાર લઈને સ્વસ્થ થવાનો દર 78.41 ટકા થયો છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સાજા થવાનો દર 97 ટકા કરતાં પણ વધારે હતો.રાજ્યમાં કોરોનાના કારણે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે.હોસ્પિટલો પણ કોરોનાના દર્દીઓથી ઊભરાઈ રહી છે.તો બીજી તરફ સ્મશાનમાં પણ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે લાઈનમાં ઉભા રહેવું પડી રહ્યું છે.તો બીજી તરફ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં 50 લોકોને જ એકઠા થવાની મંજૂરી આપી છે.હજી પણ કેટલીક જગ્યાઓ પર લગ્ન પ્રસંગમાં વરઘોડા અને રાસ ગરબામાં નિયમોનો ભંગ કરીને વધારે લોકો એકઠા થાય છે.ત્યારે પોલીસે સાબરકાંઠાના પ્રાંતિજમાં એક વરઘોડા પર પોલીસે રેડ કરી હતી અને નિયમ ભંગ કરવા બદલ 17 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી.પોલીસ દ્વારા DJ સહિતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર સાબરકાંઠાના પ્રાંતિજના અમરાપુર ગામમાં એક લગ્ન પ્રસંગ યોજાયો હતો.આ લગ્ન પ્રસંગ યોજવા બાબતે પોલીસની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નહોતી.જ્યારે વરરાજાના પરિવાર દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો ત્યારે પ્રાંતિજ પોલીસ દ્વારા એકાએક આ વરઘોડા પર દરોડો કરવામાં આવ્યો હતો.પોલીસે ખાનપુરના ભાદ્રોડ ગામ પાસે લગ્નમાં જતી બે ગાડીઓને પણ જપ્ત કરી હતી.આ ઉપરાંત વરરાજા,વરરાજાના પિતા,ફોટોગ્રાફર,ઘોડા ચાલક અને જાનમાં આવેલા સહિત કુલ 17 લોકો સામે પોલીસે ફરિયાદ નોંધી હતી અને પોલીસ દ્વારા DJ પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

એવી પણ જાણકારી મળી રહેશે કે, આ વરઘોડામાં માસ્ક અને સામાજિક અંતરના નિયમોનો ભંગ થયો હતો.તેના કારણે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી.હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના પોઝિટિવ કેસો વધતા હોવાના કારણે રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે.પોલીસે પ્રાંતિજ ગામમાં લગ્ન પ્રસંગમાં રેડ કરી હતી પરંતુ બીજી તરફ અમરેલીના ભાજપના નેતા અમારીશ સાવલિયાના પુત્રના વરઘોડામાં એક પણ પોલીસકર્મીએ કાર્યવાહી કરી નહોતી.ભાજપના નેતાના પુત્રનો વરઘોડો ધામધૂમથી નીકળ્યો હતો અને લોકોએ માસ્ક અને સામાજિક અંતરના નિયમોનો ભંગ કર્યો હતો પરંતુ ભાજપના નેતા સામે પણ કાર્યવાહી કોણ કરે,અગાઉ પણ આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles