બારડોલી : સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમારના હસ્તે બારડોલી તાલુકાના ઈસરોલી,રાયમ,રૂવા,ખોજ,સમથાણ,સીંગોદ,ઓરગામ, મોતા,ઉમરાખ,ખરવાસા,ઈશનપોર,વરાડ અને પણદા ગામોમાં રૂ.આઠ કરોડના ખર્ચે તૈયાર થનારા રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ અવસરે મંત્રીએ જણાવ્યું હતું કે,કોરોના વૈશ્વિક મહામારીમાં પણ ગ્રામ્ય અને શહેરી નાગરિકોની સુખ સુવિધા માટે રાજ્ય સરકારે વિકાસકામોની ગતિ અટકે નહીં એવું લક્ષ્ય સેવ્યું છે. એક ગામથી બીજા ગામને જોડતા રસ્તાઓના નિર્માણથી ગ્રામ્ય જનતાની યાતાયાતની સુવિધામાં વધારો થવાથી લોકોને તેનો ફાયદો થશે.કામ શરૂ થયા બાદ યોગ્ય ગુણવત્તાયુકત બને તે અંગેની તકેદારી રાખવા સૌ ગ્રામજનોને હિમાયત કરી હતી.મંત્રીએ રૂ.૯૦ લાખના ખર્ચે મોતા ગામથી હલધરું આશ્રમશાળા સુધીનો રસ્તો, રૂ.30 લાખના ખર્ચે મોટા ગામેથી મુક્તેશ્વર મંદિર રોડ, રૂા.૨૦ લાખના ખર્ચે મોતા ગામ બસ સ્ટોપથી બામણા ફળિયા થઈ કોલિવાડ હનુમાનજી મંદિર તરફથી બારગાળા રોડ સુધીનો રોડ,રૂા.૩૨ લાખના ખર્ચે ઉમરાખ ગામની વિદ્યાભારતી કોલેજ થઈ બાબેન મોતા ગામને જોડતો રોડ,રૂા.૭૫ લાખના ખર્ચે ખરવાસા ગામના રામપુરાથી નાગેશ્વર મંદિર થઈ બારડોલી મોતા મિરાપુરને જોડતો રોડ, રૂા.૧૫ લાખના ખર્ચે ખરવાસા ગામથી રામદેવપીર મંદિર તરફથી અસ્તાન રોડ સુધીનો રોડ , રૂા.૩૦ લાખના ખર્ચે ઈશનપોર ગામના ખારીયાવગા થઈ ચીખલીને જોડતો રોડ,રૂા.૧૦ લાખના ખર્ચે ઇશનપુર ગામના વીર હનુમાન મંદિર તરફ જતો રસ્તો, રૂા.૪૫ લાખના ખર્ચે વરાડ ગામના પંચાયત ઘર પાસેથી રૂવા ગામને જોડતો રોડ,રૂા.૪૦ લાખના ખર્ચે વરાડ પણદા રોડ તેમજ ૭૦ લાખના ખર્ચે પણદા ગામેથી ધામડોદ ગામ તરફ જતા રસ્તાના ખાતમુહુર્તનો સમાવેશ થાય છે.ઈસરોલી ખાતે રૂા.૫૨ લાખના ખર્ચે પાટીદાર ફળીયાથી હળપતિવાસ નેશનલ હાઈવે નં.૫૩નો રસ્તો,બારડોલી રામજી મંદિર ખાતે રૂા.૪૦ લાખના ખર્ચે રસ્તો,રાયમ ગામે રૂા.૫૦ લાખ,રૂવા ગામે પટેલ ફળીયા ખાતે રૂા.૧૫ લાખ,ખોજ ગામે રૂા.૯૫ લાખના ખર્ચે બે રસ્તાઓ, સમથાણ ગામે એપ્રોચ રોડ રૂા.૩૦ લાખ,સિગોદ ગામે રૂા.૪૫ લાખ,ઓરગામ ખાતે રૂા.૨૬ લાખના રસ્તાઓની ખાતમુહૂર્તવિધિ સંપન્ન કરી હતી.