સાયબર ક્રાઇમ વિશે લોકોને અનેકવાર સાવધાન કરવામાં આવ્યા છે. છતાંય અનેક લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે.જો ગુજરાતની વાત કરીએ તો છેલ્લા માસમાં જ ગુજરાતીઓના 69 કરોડ સાયબર ક્રાઇમના ગુનામાં ડૂબી ગયા.સૌથી શરમજનક વાત તો એ છે કે સાયબર ક્રાઇમના ગુનાઓ સામે રક્ષણ કવચ સમાન ‘આશ્વસ્ત પ્રોજેક્ટ’ હેઠળ માત્ર સાત કરોડ જ સાયબર ક્રાઇમ બચાવી શકી છે.
લોકડાઉનના અને કોરોનાના ભયના કારણે લોકો ડિજીટલ તરફ વધુ વેગથી વળ્યા છે. ઓનલાઇન પેમેન્ટ અને ઓનલાઇન ખરીદી સહિત ઇન્ટરનેટના માધ્યમનો ઉપયોગ કરી રહ્યા છે.જેના કારણે મોબાઈલધારકોના ડેટા પણ ઓનલાઇન સસ્તા ભાવે વેચાઈ રહ્યા છે.આ ડેટાના માધ્યમથી જ સાયબર ક્રાઇમના ગુના કરતી ટોળકી લાલચ, યુક્તિ અને પ્રયુક્તિથી લોકોને છેતરીને પૈસા પડાવી લે છે.સાયબર ક્રાઇમમાં સામાન્ય રીતે પોલિસીને લગતા ફ્રોડ,ઓનલાઇન વ્યવસાયની ઠગાઈ, KYC અપડેટ ઠગાઈ,ઓનલાઇન બેકિંગ ઠગાઈ,ઓટીપી ફ્રોડ જેવા ફ્રોડનો સમાવેશ થાય છે.
સાયબર ક્રાઇમને અટકાવવા અનેક પ્રોજેક્ટ અને કાયદા બનાવવામાં આવ્યા છે.ગુજરાતમાં વર્ષ 2019 ના ફેબ્રુઆરી માસથી સાયબર આસ્વસ્ત પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો.જેના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતીઓએ ગુમાવેલા 69 કરોડ 58 લાખમાંથી સાયબર આશ્વસ્ત પ્રોજેક્ટ હેઠળ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ માત્ર 7 કરોડ 40 લાખ જ બચવામાં સફળ રહી છે.
જો ગુજરાતમાં સાઇબર ક્રાઇમની ઘટનાની વાત કરવામાં આવે તો, વર્ષ 2017 માં 458, વર્ષ 2018 માં 702 અને વર્ષ 2019 માં 784 સાયબર ક્રાઇમની ઘટનાઓ બની હતી.