નવી દિલ્હી : તા.28 મે 2022, શનિવાર : આજે હિંદુત્વના વિચારક વીર સાવરકરની જન્મ જયંતી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. આ પ્રસંગે ભાજપના પ્રવક્તા ગૌરવ ગોયલે એવી માગણી કરી હતી કે,દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનું નામ બદલીને વીર સાવરકર પરથી કરી દેવામાં આવે.વડાપ્રધાન મોદીએ ટ્વિટમાં લખ્યું હતું કે,મા ભારતીના કર્મઠ સપૂત વીર સાવરકરને તેમની જયંતી પર આદરપૂર્વક શ્રદ્ધાંજલિ.આ સાથે જ તેમણે સાવરકર અંગેના પોતાના તથા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના મેસેજીસ(વોઈસઓવર) સાથે હિંદુત્વના અગ્રણી વિચારકના ગુણો અને યોગદાન અંગે વાત કરતું એક તસવીર આલબમ પણ શેર કર્યું હતું.
વીર સાવરકરનો જન્મ વર્ષ 1883માં મહારાષ્ટ્ર ખાતે થયો હતો.તેઓ હિંદુત્વના પ્રખર વિચારક હતા.આસામના મુખ્યમંત્રી હિંમતા બિસ્વા સરમાએ પોતાના મેસેજમાં લખ્યું હતું કે,’સ્વતંત્રતા સેનાની,સામાજીક કાર્યકર અને એક વિદ્વાન,વીર વિનાયક દામોદર સાવરકર હિંદુત્વના પ્રમુખ વિચારકોમાંથી એક હતા.તેમની જયંતીના અવસર પર આદરણીય વડાપ્રધાને તેમની એક ક્લિપ શેર કરીને સાવરકરના વિભિન્ન ગુણોને રજૂ કર્યા છે.’