વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં હજુ પણ ઘણા લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરે છે.કોઈ વ્યક્તિ બીમાર થાય અથવા તો તેને કોઈ પણ તકલીફ હોય તો અંધશ્રદ્ધામાં વિશ્વાસઘાત લોકો તે વ્યક્તિને ડૉક્ટર પાસે કે પછી તજજ્ઞ પાસે બતાવવા જવાના બદલે તાંત્રિક પાસે લઈ જાય છે.તો કેટલાંક તાંત્રિકો લોકોની મજબૂરીનો લાભ ઉઠાવીને મહિલાઓ સાથે દુષ્કર્મ કરતા હોવાના કિસ્સા સામે આવે છે. ત્યારે આવો જ એક વધુ કિસ્સો સૌરાષ્ટ્રમાં સામે આવ્યો છે.સંતાનમાં દીકરીઓ જ હોવાના કારણે પુત્ર પ્રાપ્તિ માટે તાંત્રિક પાસે ગયેલી પરિણીતા પર વિધિ કરવાના બહાને બે વખત તાંત્રિકે દુષ્કર્મ આચર્યું હતું.આ સમગ્ર મામલે તાંત્રિક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિણીતાની ફરિયાદના આધારે પોલીસે તાંત્રિકની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
રિપોર્ટ અનુસાર સાવરકુંડલામાં રહેતી 24 વર્ષીની પરિણીતાને સંતાનમાં દીકરીઓ જ હતી.તેથી પુત્ર પ્રાપ્તિ માટે પરિવારના સભ્યો દ્વારા પરિણીતાને એક તાંત્રિક પાસે લઈ જવામાં આવી હતી.મહત્ત્વની વાત છે કે,પરિવારના સભ્યો પરિણીતાને જે તાંત્રિક પાસે લઈ ગયા હતા.તે તાંત્રિકને પરિવારના સભ્યો ગુરુ માનતા હતા.પરિણીતાને પુત્ર ન થતો હોવાના કારણે તાંત્રિકે ગુપ્ત વિધિ કરવાનો જણાવ્યું હતું.તેથી પરિણીતા ગુપ્ત વિધિ માટે તાંત્રિક પાસે ગઇ હતી.તાંત્રિકે ગુપ્ત વિધિ કરવા બાબતે પરિણીતાના કપડા ઉતારીને તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. એક વખત નહીં પરંતુ બે વખત વિધિના બહાને તાંત્રિકે પરિણીતા પર દુષ્કર્મ કર્યુ હતું.
જો પરિણીતા તાંત્રિકનો પ્રતિકાર કરે તો તાંત્રિક તેને માર મારતો હતો અને બળજબરીથી શારીરિક સંબંધ બાંધતો હતો.આ ઉપરાંત આ બાબતે કોઈને જાણ ન કરવા માટે પણ તાંત્રિક ધમકી આપતો હતો.તાંત્રિકે પરિણીતા આ વાતની જાણ કોઈને કરશે તો તેની બંને દીકરીઓને મારી નાખવાની ધમકી આપી હતી.પરિણીતા તાંત્રિકનો ડર રાખ્યા વગર સમગ્ર ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરી હતી.તેથી સાવરકુંડલા પોલીસે તાંત્રિક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધી હતી.ત્યારબાદ પોલીસે તાંત્રિકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.અગાઉ પણ સૌરષ્ટ્રમાં આ પ્રકારનો એક કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક ગુરુએ મહિલાને સેવા કરવા માટે બોલાવીની દુષ્કર્મ આચર્યું હતું.