અમદાવાદ જિલ્લામાં ચાંગોદર ખાતેથી વધુ એક કોરોના પોઝિટિવ કેસ ગઈકાલે મળી આવ્યો હતો.મૂળ ઉપ્ર પ્રદેશનો વતની અને અહીંયા મજૂરી કામ કરતા પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.તેના સંપર્કમાં આવેલા ૧૮ લોકોને હોમ કવોરંટિન કરવામાં આવ્યા છે.જિલ્લામાં કોરોના પોઝિટવો આ પાંચમો કેસ સામે આવ્યો છે.
આ ગામમાં Corona પોઝિટીવ આવતા તંત્ર થયું દોડતું
શેલા,ગોકળપુરા,બાવળા,ધોળકા અને બોપલ બાદ હવે ચાંગોદરમાંથી કોરોના પોઝિટિવ કેસ મળ્યા મળતા જિલ્લા વહિવટીતંત્રમાં દોડધામ મચી જવા પામી છે.જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં ૧૯૨ શંકાસ્પદ કેસોના રિપોર્ટ લેવાયા છે.બોપલ,સાણંદ અને દસક્રોઇ તાલુકામાં કોરોના સંક્રમણની શક્યતા વધુ હોવાથી આ વિસ્તારમાં ઘરે ઘરે જઇને સર્વે અને સેમ્પલો લેવાની કામગીરી જિલ્લા આરોગ્ય શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે.
Coronaના કારણે ડોર-ટુ-ડોર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ
શહેરની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ સુધી હોટ સ્પોર્ટ કે કલસ્ટર વિસ્તારો જાહેર કરવાની નોબત આવી નથી. પરંતુ વધતા કેસોને જોતા પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.જિલ્લા પંચાયત હેઠળના સરકારી આયુર્વેદ દવાખાનાઓ દ્વારા ડોર-ટુ-ડોર આયુર્વેદિક ઉકાળાનું વિતરણ શરૂ કરી દેવાયું છે. રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે અત્યાર સુધીમાં ૨૦ લાખથી વધુ લોકોએ અમૃત પે આયુર્વેદિક ઉકાળાનો લાભ લીધો છે.જ્યારે ૧૧ લાખથી વધુ લોકોએ હોમિયોપેથિક દવાનો લાભ લીધો છે.`