By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદની ક્વોશિંગ પિટિશન ટકવા પાત્ર કે નહીં, કોર્ટ ચુકાદો આપશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદની ક્વોશિંગ પિટિશન ટકવા પાત્ર કે નહીં, કોર્ટ ચુકાદો આપશે
AhmedabadGeneral

સિનિયર એડવોકેટ આઈ.એચ. સૈયદની ક્વોશિંગ પિટિશન ટકવા પાત્ર કે નહીં, કોર્ટ ચુકાદો આપશે

HM News
Last updated: 28/05/2022 6:00 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ : થલતેજના વેપારીને વિવાદ ઉકેલવા માટે બોલાવીને એગ્રીમેન્ટ ઉપર સહી કરવા માટે ધમકાવવાના વિવાદમાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના કથિત આરોપીઓ પૈકી હાઇકોર્ટના જ સિનિયર એડવોકેટ આઇ.એચ.સૈયદે ફરિયાદ રદ કરવવા હાઇકોર્ટમાં કરેલી પિટિશનની સુનાવણી દરમિયાન ટેકનિકલ કાયદાકીય મુદ્દો ઊભો થયો હતો.જેમાં હાઇકોર્ટે એ મુદ્દે ચુકાદો અનામત રાખ્યો છે કે સીઆરપીસીની ધારા ૪૮૨ હેઠળ કરેલી ક્વોશિંગ પિટિશન ટકવા પાત્ર છે કે નહીં.અલબત્ત,સુનાવણી દરમિયાન કોર્ટે એવી ટકોર પણ કરી હતી કે,‘ધારા ૪૮૨ હેઠળની ક્વોશિંગ પિટિશન ટકી શકે તેમ નથી.જો તે આર્ટિકલ ૨૨૬ની સાથે સીઆરપીસીની ધારા ૪૮૨ મુજબની પિટિશન હોય તો જ ટકી શકે.’એડવોકેટ સૈયદ વતી સિનિયર એડવોકેટે કોર્ટને વિવિધ ચુકાદા ટાંકીને અરજી ટકી શકે તેવી દલીલો પણ કરી હતી.

સુનાવણી દરમિયાન અરજદાર એડવોકેટ તરફથી સિનિયર એડવોકેટ બી.બી.નાયક અને સિનિયર એડવોકેટ અસીમ પંડ્યાએ દલીલ કરી હતી કે,‘અરજદાર કોર્ટના આદેશને બંધનકર્તા રહેશે પરંતુ તેમની સામે કોઇ સખત પગલાં નહીં લેવાનો વચગાળાનો આદેશ કરવો જોઇએ.તેઓ પોલીસની તપાસમાં પણ સહકાર આપવા તૈયાર છે. કાયદાની સામે દરેક વ્યક્તિ એક સરખી છે પરંતુ પ્રસ્તુત કેસના અરજદાર સિનિયર એડવોકેટ છે.જેમને ફુલ કોર્ટ દ્વારા હાઇકોર્ટના સિનિયર એડવોકેટનો દરજ્જો આપવામાં આવ્યો છે.એટલું જ નહીં તેમની વિરુદ્ધની જે ફરિયાદ છે બદઇરાદા પૂર્વકની અને વેર વાળવાના ઇરાદે કરાયેલી છે.તેવા સંજોગોમાં જો સિનિયર એડવોકેટ કક્ષાની વ્યક્તિને અરજદાર તરીકે વચગાળાની રાહત આપવામાં આવે તો કોઇને પણ નુકસાન થાય એમ નથી.ઊલટાનું તેઓ કાયદાની પ્રક્રિયામાં સહભાગી જ થશે.’

આ પ્રકારની દલીલ બાદ હાઇકોર્ટના જસ્ટિસ સમીર જે.દવેએ ટકોર કરી હતી કે,‘આ કેસમાં ધારા ૪૮૨ મુજબની અરજી ટકી શકે કે કેમ તે જ હાલ તો પ્રાથમિક મુદ્દો છે અને કોર્ટ એ મુદ્દે ચુકાદો અનામત રાખવા ઇચ્છે છે.’એડવોકેટ તરફથી દલીલ કરવામાં આવી હતી કે,‘ધારા ૪૮૨ મુજબની ક્વોશિંગ પિટિશનના મુદ્દે હજારો ચુકાદાઓ છે અને એ સ્પષ્ટ કરે છે કે પિટિશન ટકવાને પાત્ર છે.જ્યારે કે એક પણ એવો ચુકાદો નથી કે જે એવું સ્પષ્ટ કરતું હોય કે ધારા ૪૮૨ હેઠળ ફરિયાદ રદ કરાવવા માટેની અરજી ન કરી શકાય.’

કાબુલ એરપોર્ટ પર ભયાનક સ્થિતિ, પ્લેનમાં બેસવા મારામારી : નવુ નામ હવે ઈસ્લામિક અમીરાત ઑફ અફઘાનિસ્તાન
ભાજપમાં ભડકાના એંધાણ, ઉમરેઠના ધારાસભ્યએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી
17મી મે પછી શું સરકાર હટાવશે લોકડાઉન : મોદી લઈ શકે છે આજે મોટો નિર્ણય
પાલિકા કોવિડ હોસ્પિટલ સાથે 1 ફેબ્રુઆરીથી MOU રદ કરશે
પેટાચૂંટણીના પરિણામ પહેલાં ભાજપે જિલ્લા-શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત, જુઓ યાદી
Share This Article
Facebook Email Print
Previous Article ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકની ભરતીના ઈન્ટરવ્યૂનો 31મી મેથી આરંભ થશે
Next Article વૃક્ષારોપણ બાદ જાળવણીમાં નિષ્ફળતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up