By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સીરિયાના હુમલામાં 33 તુર્કીશ સૈનિકોના મોત, યુરોપિયન યુનિયનને અંકારાની ધમકી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સીરિયાના હુમલામાં 33 તુર્કીશ સૈનિકોના મોત, યુરોપિયન યુનિયનને અંકારાની ધમકી
GeneralInternational

સીરિયાના હુમલામાં 33 તુર્કીશ સૈનિકોના મોત, યુરોપિયન યુનિયનને અંકારાની ધમકી

HM News
Last updated: 29/02/2020 11:57 AM
HM News
5 years ago
Share
SHARE

– તુર્કીએ ઈદલિબને નો ફ્લાય ઝોન જાહેર કરવા માંગણી કરી

– તણાવ ઘટાડવા રશિયા-તુર્કીના રાષ્ટ્રપતિએ ટેલિફોનિક ચર્ચા કરી

– મોસ્કો ખાતે બેઠકમાં તુર્કી ઉપરાંત ફ્રાંસ, જર્મનીના નેતાઓ જોડાશે

અંકારા, તા. 29 ફેબ્રુઆરી 2020, શનિવાર

સીરિયાના ઈદલિબ પ્રાંત ખાતે થયેલા હવાઈ હુમલામાં 33 તુર્કીશ સૈનિકોના મોત બાદ તુર્કીએ વળતા હુમલામાં 45 સીરિયન સૈનિકોને મારી નાખવામાં આવ્યા હોવાનો દાવો કર્યો છે.

એર સ્ટ્રાઈકના કારણે રશિયા અને તુર્કી વચ્ચેનો તણાવ ચરમ સીમાએ પહોંચ્યો છે અનેં તણાવ ઘટાડવા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તઈપ એર્દોગને ટેલિફોનિક વાતચીત કરી હતી. હકીકતે સીરિયામાં બશર-અલ-અસદ સરકારને રશિયાનું સમર્થન મળેલું છે અને તે સીરિયન રાષ્ટ્રપતિ વિરુદ્ધ લડનારાઓનો સામનો કરવા માટેના અભિયાનમાં સામેલ છે. આ તરફ તુર્કીએ તણાવ ઘટાડવા હુમલાનો આરોપ અસદ પર લગાવીને મોસ્કો સાથે વાતચીત શરુ કરી છે. એર્દોગન પાંચ માર્ચના રોજ પુતિન સાથેની બેઠકમાં સામેલ થવા મોસ્કો જશે અને તેમાં ફ્રાંસ અને જર્મનીના નેતાઓ પણ સામેલ થશે.

આ બધા વચ્ચે તુર્કીએ આંતરરાષ્ટ્રીય સમૂહો સમક્ષ ઈદલિબને નો ફ્લાય ઝોન જાહેર કરવાની રજૂઆત કરી છે. ઈદલિબમાં લડતા યોદ્ધાઓને તુર્કીનું સમર્થન મળેલું છે જે અસદ માટે માથાના દુખાવા સમાન છે. સંપૂર્ણ સીરિયા પર નિયંત્રણ મેળવવા અસદે ઈદલિબ પર કબજો મેળવવો જરુરી છે પરંતુ તુર્કીના કારણે તે શક્ય નથી બની રહ્યું. વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને રશિયાએ પોતાના બે જંગી જહાજોને ઈસ્તંબુલ પાસે મોકલી આપ્યા છે. સીરિયાના હુમલાના કારણે રોષે ભરાયેલા તુર્કીએ યુરોપિયન દેશોને પોતે યુરોપમાં પ્રવાસી શરણાર્થીઓનો ધસારો કરાવશે તેવી ધમકી પણ આપી છે.

સીરિયામાં યુદ્ધ દરમિયાન લાખો પ્રવાસીઓ તુર્કી અને આસપાસના યુરોપિયન દેશોમાં પહોંચી ગયા હતા. આશરે 40 લાખ જેટલા સીરિયન શરણાર્થીઓએ તુર્કીમાં આશરો મેળવેલો છે. આ સંજોગોમાં યુરોપ પર દબાણ લાવવા તુર્કીએ પોતે શરણાર્થીઓને યુરોપ મોકલવા રસ્તો ખોલી આપશે તેવી ધમકી આપી છે. 2016માં એક સમજૂતી અંતર્ગત શરણાર્થીઓને યુરોપિયન દેશોમાં પ્રવેશતા અટકાવવા તેમણે તુર્કીને છ અબજ યુરો આપ્યા હતા અને તુર્કીની ધમકી બાદ યુરોપિયન યુનિયને તુર્કીને સમજૂતી પર કાયમ રહેવા અપીલ કરી છે.

ગાંધીનગરમાં R&Bના અધિકારી નિપુણ ચોકસીને ત્યાં ACBએ પાડ્યા દરોડા : 2.25 કરોડ રોકડા જપ્ત કર્યા
ગોવા અને મણિપુરમાં CM નહીં બદલે ભાજપ, પાર્ટી હાઈકમાન્ડે લીધો આ નિર્ણય
નાટોમાં ન જોડાવા અને પુતિન સાથે સમાધાન માટે ઝેલેન્સ્કી તૈયાર : એબીસી
સરકાર એક્શનમાં : મુખ્યમંત્રીએ કેન્સલ કર્યા તમામ કાર્યક્રમો, સાંજ સુધીમાં લેવાઈ શકે છે મોટા નિર્ણયો
રાષ્ટ્રપતિ ભવન બાદ હવે લોકસભા સુધી પહોંચ્યો કોરોના
Share This Article
Facebook Email Print
Previous Article નર્મદામાં કાર્યક્રમ વેળાએ અદનાન સામીએ કહ્યું- દિલ્હીમાં ગંદુ રાજકારણ રમાઈ છે
Next Article વડોદરા: દાદા ભગવાન પંથના ગુરૂજી કનુદાદા અને જમાઈએ મુંબઇના વેપારી પાસે રૂ.5.54 કરોડ પડાવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up