સી.આર પાટીલનો વડોદરામાં પ્રચાર, સંતાનો માટે ટિકિટ માંગનાર મધુ શ્રીવાસ્તવ અને શૈલેષ મહેતા વિષે કહ્યું એવું કે ….

HM News
3 Min Read

સ્થાનિક સ્વરાજની ચુંટણીને લઈને રાજકારણ ગરમાયેલું છે.ગુજરાતમાં તમામ પાર્ટીના સ્ટાર પ્રચારકો પ્રચાર કરવા ઉતરેલા છે.આ કારણોસર ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વડોદરા પહોંચ્યા હતા.વડોદરામાં ખંડેરાવ માર્કેટ ખાતે સી આર પાટીલની પ્રચાર સભા યોજી હતી.જેમાં સી આર પાટીલે પ્રચંડ પ્રચાર કર્યો હતો.

વડોદરાના ખંડેરાવ માર્કેટ ખાતે યોજાયેલ સભામાં સી આર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. ચાર વોર્ડમા મરાઠી મતદારોનુ પ્રભુત્વ છે.વડોદરાના વોર્ડ 12,13,14 અને 15 ના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો.મોટી સંખ્યા મા નાગરીકો ઉપસ્થિત રહ્યા હતા. સી.આર પાટીલે જણાવ્યું હતું કે,ચુટણી આવે એટલે સભા ખરવી પડે એ માનસિકતા હોય છે સભા એટલે હિસાબ આપવો.ભાજપ ડંકાની ચોટ પર હિસાબ આપવા આવે છે. 25 વર્ષ મા વિકાસ કર્યો છે એટલે અમે હિસાબ આપવા આવ્યા છીએ.વડોદરામાં 288 કરોડના ખર્ચે ગુજરાતનો સૌથી લાંબો બ્રિજ સરકારે મંજૂર કર્યો છે.પાણી ની ફરીયાદ આવતી હતી અને આગેવાનો એ મુખ્ય મંત્રી ને રજુઆત કરી અને નિર્ણય લેવા મા આવ્યો છે આગામી સમય મા પુરતુ પાણી મળી રહેશે.

વડોદરા ને પ્રધાન મંત્રીએ રેલ યુનિવર્સિટી આપી છે.આગામી સમયમા વડોદરાને ઝડપથી ઈન્ટરનેશનલ એરપોર્ટ મળશે.દિકરા દિકરીની ટીકીટ માટે નેતાઓ એ માગ ન કરીને સમર્થન કર્યુ છે.સૈલેષ મહેતા,મધુશ્રીવાસ્તવે સહમતી દર્શાવી ટીકીટ જતી કરી હતી.કોગ્રેસે વિકાસની વાત ને હાસીપાત્ર ગણાવી છે.રામ મંદિર ના મુદ્દે કોગ્રેસ બે કોમ વચ્ચે વિવાદ ઉભો કરતી હતી.કોગ્રેસીઓને જણાવવાનુ કે મંદિર ત્યાં જ બનશે જ્યા રામલલ્લા નો જન્મ થયો હતો.સી.આર પાટીલે કહ્યું છે કે,મે અમલમાં મુકેલ ત્રણ નિયમમાં કાર્યકર્તાઓ અને નેતાઓ એ સહયોગ કર્યો છે.આખા ગુજરાતમાં એક પણ ઓફિસ ના કાચ તૂટ્યા નહીં.શૈલેષ મહેતા ધારાસભ્યનો પુત્ર વિદેશ ભણીને આવ્યો પણ ટિકીટ માંગી નહોતી.

મધુ શ્રીવાત્સવે મને ખાતરી આપી કે મારી દીકરીને નહીં પણ બીજા ને ટીકીટ આપશો તો મારી દીકરી તેને લઈને તેનું ફોર્મ ભરાવશે.રામ મંદિર નુ નિર્માણ જો કોગ્રેસે વર્ષો પહેલા કર્યુ હોત તો આજે લોકો ને કોગ્રેસ પ્રત્યે લોકો ને આટલી ધ્રૃણા ન હોત.મંદિર નુ દાન એકત્રીત કરી ને દાન નહી પણ સહયોગ લોકો આપી રહ્યા છે.ઉમેદવારો એવા પસંદ કર્યા છે કે તમારે ક્યારેય ઠપકો નહી આપવો પડે.ગુડા ના ગુજરાત તરીકે ઓળખાતુ હતુ આજે ગુજરાત નુ નામ આખા વિશ્વ મા ગાધીના ગુજરાત તરીકે ખ્યાતિ પામ્યુ છે. 370 અને 35 એ ની કલમ ને અડશો તો લોહીની નદીઓ વહેશે એમ કહેતા કોંગ્રેસીઓ એ જોઈ લીધું.મોદી સરકારે કામ પૂર્ણ કર્યું છે.આવનારી પેઠી આ સમય ને યાદ રાખશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *