પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ ગઈકાલે એક ટ્વિટ દ્વારા લખ્યું હતું કે, ‘ભાજપના વિકાસ થી સાવધાન આ વિકાસના કુંડાળામાં ભૂલથી પણ પડ્યા તો ગયા સમજો.’ ત્યારે શંકરસિંહ વાઘેલાએ આજે એક બીજો ખાડાવાળા રોડ નો ફોટો ટ્વીટ કરી #ભાંગીનાખ્યા હેશ ટેગ સાથે લખ્યું હતું કે, ‘ગુજરાતમાં ખાડા નથી, ખાડામાં ગુજરાત છે’ આ ભાજપ એ કરેલા ભ્રષ્ટ્રાચાર ના ખાડા છે !
આમ શંકરસિંહ વાઘેલાએ રૂપાણી સરકારના વિકાસના દાવાઓની પોલ ખોલી નાખી છે.જોકે સોશિયલ મીડિયામાં રોડના કામોમાં જે ભ્રષ્ટાચાર થયો છે તેને લઈને જોરદાર આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે પરંતુ ગુજરાતની આંધળી,બહેરી અને મૂંગી સરકાર પ્રજાની સમસ્યા ને સાંભળવાને બદલે કાયદાઓના ડર બતાવીને લોકોને ચૂપ કરાવી રહી છે.તો વળી હાલમાં સોશિયલ મીડિયામાં સુરતના કતારગામ વિસ્તાર નો એક વીડિયો વાયરલ થયો છે જેમાં ખાડાઓમાં એક ટેમ્પો પડી ગયો છે. આ વીડિયોને લઈને પણ સોશિયલ મીડિયામાં સ્થાનિક તંત્ર તેમજ સરકારની ભારે ટીકા થઇ રહી છે.દર ચોમાસામાં અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કરોડો રૂપિયાના રોડ રસ્તાઓ વરસાદમાં ધોવાઈ જાય છે. વર્તમાન ચોમાસાની મોસમમાં પણ અત્યાર સુધીમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી અનેક રસ્તાઓની હાલત વરસાદમાં બિસ્માર હાલતમાં થઈ ગઈ છે. =એક અંદાજ પ્રમાણે ખાલી અમદાવાદમાં જ દર વર્ષે 300 કરોડનું બજેટ રોડ માટે મંજૂર કરાય છે. તેમ છતાં દર ચોમાસામાં અમદાવાદ ખાડાબાદ બની જાય છે.
છતાં તંત્રમાં બેઠેલા સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી અને લોકોની હાલાકી વધી જાય છે.ત્યારે આજે સંદેશ ન્યૂઝ દ્વારા રાજ્યભરમાં વરસાદના કારણે જે રસ્તાઓની હાલત બિસ્માર થઈ ગઈ છે, =તેનું રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે.