નવી દિલ્હી તા.3 : ભારતમાં પોલીસ વ્યવસ્થાને લઈને સતત સવાલો ઉઠતા આવ્યા છે,પછી તે પોલીસ કસ્ટડીમાં મોતના કિસ્સા હોય કે વિના કારણે ટોર્ચરનો આરોપ,આ બધી જ બાબતોને લઈને પોલીસ રિફોર્મની વાત સતત થતી રહી છે,જેને લઈને સુપ્રીમ કોર્ટે આદેશ જાહેર કરીને દરેક પોલીસ સ્ટેશનો અને તપાસ એજન્સીઓની ઓફીસોમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કહેવામાં આવ્યું હતું,જેનુ પાલન ન કરવામાં આવતા આ મામલે સુપ્રીમ કોર્ટને ફટકાર લગાવી છે.
ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2020માં સુપ્રીમ કોર્ટે સરકારને એ આદેશ જાહેર કર્યો હતો કે પોલીસ સંબંધીત દરેક ઓફીસોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે પરંતુ તેનું પાલન ન થતા અને આ બાબતે જયારે સરકારને પૂછવામાં આવતા સરકારે જણાવ્યું હતું કે તેને હજુ વધુ સમય જોઈશે, સરકારના આ જવાબથી સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી.સરકારે હવે આ મામલે પત્ર લખીને વધુ સમય માંગ્યો છે.જેના સંદર્ભમાં જસ્ટીસ નરીમાને સરકારને જણાવ્યું હતું કે અમને તો અલગ જ ધારણા મળી રહી છે કે આપ આ જવાબદારીથી પલાયન કરી રહ્યા છે,અમે આવી બહાનાબાજી નહીં ચલાવીએ.
સરકાર તરફથી સોલીસીટર જનરલે આ મામલે ફંડ એકત્ર કરવાની કોશીશનો પણ ઉલ્લેખ કર્યો હતો,જના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આપ અમને એ જણાવો કે અત્યાર સુધીમાં કેટલું ફંડ એકત્ર કર્યું.જેના જવાબમાં સોલીસીટર જનરલે 10 દિવસનો સમય માંગ્યો હતા. બાદમાં સુપ્રીમ કોર્ટે આગામી ત્રણ સપ્તાહમાં સોગંદનામુ દાખલ કરવાનો આદેશ આપ્યો.