By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુપ્રીમ કોર્ટના જસ્ટીસ સૂર્યકાંત અને પારડીવાલા પર મહાભિયોગ ચલાવવા માટે ચળવળ ચાલુ થઇ, દરેક સેકન્ડે લોકો જોડાઈ રહ્યા છે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > સુપ્રીમ કોર્ટના જસ્ટીસ સૂર્યકાંત અને પારડીવાલા પર મહાભિયોગ ચલાવવા માટે ચળવળ ચાલુ થઇ, દરેક સેકન્ડે લોકો જોડાઈ રહ્યા છે
GeneralNational

સુપ્રીમ કોર્ટના જસ્ટીસ સૂર્યકાંત અને પારડીવાલા પર મહાભિયોગ ચલાવવા માટે ચળવળ ચાલુ થઇ, દરેક સેકન્ડે લોકો જોડાઈ રહ્યા છે

HM News
Last updated: 06/07/2022 8:36 AM
HM News
3 years ago
Share
SHARE

નુપુર શર્માના વિવિધ કેસોને ક્લબ કરવાની અરજીની સુનાવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટના જજો દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી બાબતે તેમના પર મહાભિયોગ ચલાવવાની માંગ થઇ છે.ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ થયેલા પ્રવક્તા નુપુર શર્માના કેસમાં સુપ્રીમ કોર્ટની સુનાવણી બાદ સામાન્ય લોકોમાં ન્યાયાધીશો દ્વારા કરવામાં આવેલી ટીપ્પણી પર ખાસ્સો રોષ છે.અત્યાર સુધી તો સોશિયલ મિડિયા પર આ બંને જજની આકરી ટીકા કરવામાં આવી રહી હતી પરંતુ હવે આ બંને વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની માંગણી કરવામાં આવી રહી છે. આ અંગે સોશિયલ મિડીયામાં એક હસ્તાક્ષર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.

હિંદુ આઈટી સેલના વિકાસ પાંડેએ પોતાની ટ્વિટમાં આ બાબતે જાણકારી આપતાં લખ્યું છે કે, “મેં એક અરજી બનાવી છે જેને સંસદ સભ્યોને સોંપવામાં આવશે.આ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલા વિરુદ્ધ મહાભિયોગ શરુ કરાવવા માટેનું એક પગલું છે.આ અરજી પર હસ્તાક્ષર કરશો.

I JUST MADE A PETITION WHICH SHALL BE GIVEN TO MPS. IT’S FOR THE INITIATION OF IMPEACHMENT PROCEEDINGS AGAINST JUSTICE SURYA KANT & JUSTICE J. B. PARDIWALA – SIGN THE PETITION! HTTPS://T.CO/EXBXGAYNN5

— Vikas Pandey (@MODIfiedVikas) July 5, 2022
www.change.org પ્લેટફોર્મ પર ચલાવવામાં આવી રહેલી આ અરજીને આ લખાય છે ત્યાં સુધી લગભગ 20 હજાર લોકોએ હસ્તાક્ષર કર્યા છે.તેની અંદર તમામ સંસદ સભ્યોને સંબોધન કરતાં લખવામાં આવ્યું છે કે, “તમામ સંસદ સભ્યો, આ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જેબી પારડીવાલાની વિરુદ્ધ મહાભિયોગ ચલાવવાની શરૂઆત છે.”

આ અરજીમાં દેશની હાલત પર ચિંતા વ્યક્ત કરતા નુપુર શર્માનો કેસ લેવામાં આવ્યો છે.તેમાં કહેવામાં આવ્યું છે કે કેવી રીતે જીવનું જોખમ હોવાને લીધે દરેક રાજ્યમાં પોતાની વિરુદ્ધ થઇ રહેલી ફરિયાદોને એક જગ્યાએ ક્લબ કરવા માટે નુપુરે દેશના સૌથી મોટી અદાલતના દરવાજા ખખડાવ્યા હતા.પરંતુ જ્યારે તેની સુનાવણી કરવાનો વારો આવ્યો ત્યારે ન્યાયાધીશોએ તેને સાંભળવાને બદલે તેમને જ દેશમાં હિંસા ભડકાવવા અંતે અને ઉદયપુરમાં થયેલી કન્હૈયાલાલની હત્યા માટે એકલા જવાબદાર ઠેરવી દેવામાં આવ્યા.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના કિસ્સાઓમાં ફક્ત ઇસ્લામી કટ્ટરપંથી અને તાલીબાન જેવી ભારત વિરોધી તાકતોને જ બળ મળે છે અને હિન્દુઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મિડિયા દ્વારા ખરાબ ચિતરવામાં આવે છે.સુપ્રીમ કોર્ટે ગેરજવાબદાર વ્યવહાર દેખાડ્યો છે.સાથે સાથે કોઇપણ તથ્યોને જોયા વગર આ ગેરકાયદેસર ટીપ્પણી કરી છે.આ દેશના મૂલ્યો અને નૈતિકતાની વિરુદ્ધ છે.આથી બંને જસ્ટિસો પર મહાભિયોગ ચલાવાની માંગ આ યાચિકામાં કરવામાં આવી છે.એવું જોવામાં આવી રહ્યું છે કે આ અરજીને જે રીતે સમર્થન મળી રહ્યું છે તે દર્શાવે છે કે લોકોમાં સુપ્રીમ કોર્ટના જજોની ટીપ્પણીને લીધે ખૂબ નારાજગી છે.લોકો આ અભિયાનને સમર્થન આપી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે શા માટે તાલીબાને પણ સુપ્રીમ કોર્ટને સમર્થન આપ્યું છે અને શા માટે કોર્ટ આતંકવાદીઓ માટે રાતમાં ખુલવા લાગી છે.લોકોમાં ગુસ્સો છે કે જે રીતે એક મહિલાની યાચિકા પર ટીપ્પણી કરવામાં આવી છે તેણે ન્યાયપાલિકાને મજાક બનાવી દીધી છે.

મહાભિયોગ કેવી રીતે ચલાવી શકાય છે?

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે મહાભિયોગ એ પ્રક્રિયા છે જેનું અનુસરણ કરીને નિર્ણય લેવામાં આવતો હોય છે.હાલની જાણકારી બતાવે છે કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશો પર મહાભિયોગ ચલાવવાની વાત સંવિધાનના અનુચ્છેદ 124 (4) માં છે.તેમાં કહેવામાં આવ્યું છે કે સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના કોઇપણ ન્યાયાધીશ પર કદાચાર અને અક્ષમતા માટે મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકાય છે.અનુચ્છેદ 124માં ન્યાયાધીશોને તેમના પદથી હટાવવાનું પણ પ્રાવધાન છે.

ક્રાઇમ પેટ્રોલનો વિવાદિત એપિસોડ : શ્રદ્ધાને બતાવી હતી ‘એના ફર્નાન્ડિઝ’, હત્યારા આફતાબને બતાવાયો હતો મિહિર…
મોહન ડેલકરના સમર્થનમાં દાનહ જિ.પંચાયત -પાલિકા સભ્યો -સરપંચો કાર્યાલયમાં ન જઇને પ્રશાસનનો વિરોધ કરશે : જુઓ વીડિયોમાં શું કહ્યું..
ચૈત્રી નવરાત્રી પહેલો દિવસ : આજે માંની શૈલપુત્રી સ્વરૂપે પુજા, જાણો પુજનવિધિ
યોગી ફરી સત્તા પર આવતા જ એન્કાઉન્ટરો શરુ, ગુનેગારો ગભરાઈને સામેથી પોલીસ મથકે પહોંચી રહ્યા છે
PM મોદીએ પ્રયાગરાજમાં સ્વસહાય જૂથોના ખાતામાં એક હજાર કરોડ ટ્રાન્સફર કર્યા
Share This Article
Facebook Email Print
Previous Article દારૂડિયાઓએ ૧૦૦ પોલીસને ધંધે લગાડી
Next Article આજે સૂર્યપુત્રી તાપી નદીનો અવતરણ દિવસ, 851 મીટર લાંબી ચુંદડી ઓઢાડાઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up