સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકારને એક મોટો ઝટકો આપ્યો છે.સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની એક નોટિફિકેશનને રદ્દ કરી નાખી છે.જેમાં સરકારે ફેક્ટરીઓને છૂટ આપી હતી કે તેઓ મજૂરોને વિના મજૂરી આપી ઓવરટાઈમ કરાવી શકે છે.સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મહામારી વૈધાનિક જોગવાઇઓને દૂર કરવા અને શ્રમિકોને યોગ્ય મજૂરીનો અધિકાર પ્રદાન નહીં કરવાનું કારણ હોઈ શકે નહીં.સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને એપ્રિલથી શ્રમિકોને ઓવરટાઇમની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે.
આ મામલામાં બેંચે કહ્યું કે,ફેક્ટરી એક્ટના સેક્શન 5 હેઠળ મહામારી સાર્વજનિક ઈમરજન્સી નથી. 23 સપ્ટેમ્બર ના રોજ બેંચે ગુજરાત સરકાર દ્વારા 17 એપ્રિલ 2020ના રોજ બહાર પાડવામાં આવેલી નોટિફિકેશનને પડકારનારી અરજીના આદેશને સુરક્ષિત કરી લીધો હતો. સરકાર દ્વારા આ નોટિફિકેશન ફેક્ટરી એક્ટના સેક્શન 5 હેઠળ 20 એપ્રિલથી 19 જુલાઇ 2020ના સમય માટે બહાર પાડવામાં આવી હતી. આ પહેલા ગુજરાત સરકારે વિનિર્માણ એકમોમાં 12 કલાક કામ કરવાની પરવાનગી આપી દીધી હતી.જેમાં કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓને વધેલા કામના કલાકોમાં કામ કરવા પર સામાન્ય વેતનથી બેગણી ચૂકવણી કરવામાં આવશે નહીં.
જણાવી દઇએ કે,ગુજરાત સરકારે આદેશ બહાર પાડ્યો હતો,જેના અનુસાર મજૂરોઓને ઓવરટાઇમની ચૂકવણી વિના રોજ 3 કલાક વધારે મજૂરી કરવા માટે કહેવામાં આવ્યું હતું. રાજ્યએ એક નિશ્ચિત દર વધારાના કલાક માટે પ્રદાન કરી હતી પણ કોઈ વધારાની ચૂકવણીની જોગવાઇ રાખવામાં આવી નહોતી.
ન્યાયમૂર્તિ ડી વાઈ ચંદ્રચૂડની આગેવાની હેઠળની બેંચે આ નોટિફિકેશનને રદ્દ કરતા કહ્યું કે,મહામારીને રાષ્ટ્રની સુરક્ષાને ખતરો પહોંચાડનાર આંતરિક ઈમરજન્સી કહી શકાય નહીં અને તે માટે આ કાયદાની જરૂરિયાતોને પૂરી કરવાનું કારણ છે.તેમણે કહ્યું કે મંદીનો આખો બોજો એકમાત્ર શ્રમિકો પર નાખી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહામારી માટે શ્રમિકો પર બોજો નાખવો કંઇ યોગ્ય પ્રતિક્રિયા નથી.યોગ્ય વેતન,રોજગારના અધિકાર અને જીવવાના અધિકારનો હિસ્સો છે. ન્યાયમૂર્તિ ડી વાઈ ચંદ્રચૂડ, ન્યાયમૂર્તિ ઈંદુ મલ્હોત્રા અને ન્યાયમૂર્તિ કેએમ જોસેફના ત્રણ જજોની પેનલે આ નિર્ણય આપ્યો છે.ગુજરાત મજૂર સભાએ રાજ્ય સરકારના નિર્ણયને પડકાર્યો હતો.


