By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં કોરોના બેકાબૂ બનતા આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા, અધિકારીઓ સાથે બેઠક
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં કોરોના બેકાબૂ બનતા આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા, અધિકારીઓ સાથે બેઠક
GeneralSurat

સુરતમાં કોરોના બેકાબૂ બનતા આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા, અધિકારીઓ સાથે બેઠક

HM News
Last updated: 06/04/2021 7:07 AM
HM News
4 years ago
Share
SHARE

– પોઝિટિવ કેસનો આંક 68653 પર પહોંચ્યો
– મૃત્યુઆંક 1203 અને કુલ 63597 દર્દી રિકવર

સુરત : સુરત શહેર જિલ્લાના કોરોનાનો વિસ્ફોટ થયો છે.અત્યાર સુધીમાં 68653 કેસ અને 1203 દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.ત્યારે આજે અચાનક આરોગ્ય સચિવ જયંતિ રવિ સુરત દોડી આવ્યા છે.હાલ મેડિકલ કોલેજ ડિન અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ, કલેક્ટર,ખાસ ફરજ પરના અધિકારી,પાલિકા કમિશનર સાથે બેઠક શરૂ કરી છે.જેમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા અંગે ચર્ચા ચાલી રહી છે.મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે,સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 68653 પર પહોંચી ગયો છે.આ સાથે કોરોનાથી મૃત્યુઆંક વધીને 1203 થયો છે.ગત રોજ 678 લોકો સાજા થઇ જતા રજા આપી દેવામાં આવી હતી.જેને પગલે સાજા થનારાઓની કુલ સંખ્યા 63597 પર પહોંચી ગઈ છે. હાલ શહેર જિલ્લામાં 3853 એક્ટિવ કેસ છે.

નવા નોંધાયેલા કેસમાં શહેરમાં ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા 10 અને કાપડ માર્કેટ સાથે સંકળાયેલા 9 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ ઉપરાંત જીઆઇડીસી સચીનમાં જોબ કરનાર,એલ એન્ડ ટીમાં જોબ કરનાર, સેલ્સમેન, વિદ્યાર્થીઓ, દુકાનદાર, બ્રોકર, બિઝનેસમેન, યસ બેન્કનો કર્મચારી, વકીલ, એનઆરઆઈ, ખેડૂત, આઈડીબીઆઈ બેન્ક મેનેજર અને ભગવાન મહાવીર કોલેજના વિદ્યાર્થી સહીત અનેકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

સુરતની સરકારી હોસ્પિટલ સિવિલ અને સ્મીમેરમાં કુલ 585 દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે.સિવિલ હોસ્પિટલમાં 387 દર્દીઓ ઓક્સિજન પર અને 198 દર્દીઓ સ્મીમેરમાં ઓક્સિજન પર સારવાર હેઠળ છે.જ્યારે સિવિલમાં 17 દર્દીઓ વેન્ટિલેટર પર અને સ્મીમેરમાં પણ 17 દર્દીઓ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે.સ્મીમેર હોસ્પિટલમાં 46 લોકો બાયપેપ પર સારવાર લઈ રહ્યા છે.

મુસ્લિમો મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરનુ સફેદ ભવન હિન્દુઓને સોંપી દે, યોગી સરકારના મંત્રીની અપીલ
ચીને ભારતને આપ્યો દગો ? સેફ્ટી ટેસ્ટમાં ફેલ થઇ 50,000 PPE કિટ
અલથાણ ગાર્ડન નજીક ઘર પાસે રમતી 8 વર્ષની બાળકી અને તેનો 4 વર્ષનો ભાઈ ગુમ થઈ ગયા
નાઇજીરિયાના ચર્ચમાં હુમલો: 50ના મોત
દવા ઉત્પાદકો પર અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી, 11 કંપનીઓ પર પ્રતિબંધ, બે ફાર્મા કંપની બંધ
Share This Article
Facebook Email Print
Previous Article શું ફરી લોકડાઉન? : ડોકટરો અને વેપારીઓ કોરોના કાબૂમાં લાવવા આંશિક લોકડાઉનની તરફેણમાં, સરકાર લઈ શકે છે મોટો નિર્ણય
Next Article સચિન વાઝે સાથે સંકળાયેલી મહિલા અંગે સસ્પેંસ ખુલ્યું : મીના જ્યોર્જના નામે રજિસ્ટર્ડ સ્પોર્ટસ બાઈક દમણથી જપ્ત કરાઇ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up