સુરતના ચકચારી આપઘાત પ્રકરણ : PSI અમીતા જોશી ને અપાયું ગાર્ડ ઓફ ઓનર, પિતા ધ્રૂસકે ધ્રુસકે રોઈ પડ્યા

HM News
1 Min Read

સુરતના પીએસઆઇ અમિતા જોશીએ શનિવારે પોતાની સર્વિસ રિવોલ્વરથી પેટમાં ગોળી મારી આપઘાત કર્યા બાદ આજે રવિવારે તેઓની અંતિમયાત્રા અગાઉ સુરત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.મૃતક ની અંતિમયાત્રામાં પોલીસ કર્મીઓ સહિત પરિવારજનો જોડાયા હતા અને અશ્રુભીની આંખે તેઓને અંતિમ વિદાય આપી હતી.

મેરેજ એનિવર્સરીના દિવસે જ ડાયરીમાં સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લેનારા મહિલા પીએસઆઈ અમિતા જોશી 2013માં ડાયરેક્ટ બેચથી કોન્સ્ટેબલમાંથી પરીક્ષા આપીને પીએસઆઈ બન્યાં હતાં.અમિતા જોશીના પિતા પણ નિવૃત પોલીસ કર્મચારી છે જેઓ ખુબજ વ્યથીત થયા હતા અને ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યાં હતાં. અમિતા જોશીના આપઘાતના પગલે પાંચ વર્ષનો પુત્ર એ માતા ની છત્રછાયા ગુમાવી છે.સુરતમાં છેલ્લા સાતેક વર્ષથી પીએસઆઈ તરીકે બજાવતા અને મૂળ ભાવનગરના ઘોઘાના વતની અમિતા જોશી અમરેલીમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવ્યા બાદ સુરતમાં પીએસઆઈ તરીકે સીધા કન્ટ્રોલમાં ફરજ ઉપર જોડાયા હતાં. કન્ટ્રોલમાં નોકરી કર્યા બાદ ચારેક વર્ષ જેટલા સમય ગાળાથી તેઓ ઉધના પોલીસ મથકમાં ફરજ બજાવતા હતાં

અમિતા જોશીના પતિ વૈભવ પણ હાલ પોલીસ બેડામાં ફરજ બજાવી રહ્યા છે.તેમના પતિ સચિન પોલીસમાં એમટી ડ્રાઈવર તરીકેની ફરજ બજાવી રહ્યાં છે. અમિતાના જોશીના પતિ અગાઉ ભાવનગરમાં ફરજ બજાવતા હતાં.પરંતુ છેલ્લા એક વર્ષથી તેઓ બદલી કરાવીને સુરત આવ્યાં હતાં આ ઘટના માં પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *