By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતના ટેક્સટાઇલ વેપારીઓ માટે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું : વાંચો વિગતે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના ટેક્સટાઇલ વેપારીઓ માટે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું : વાંચો વિગતે
BusinessGeneralSurat

સુરતના ટેક્સટાઇલ વેપારીઓ માટે સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું : વાંચો વિગતે

HM News
Last updated: 01/12/2021 10:51 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સુરત શહેરમાં ટેક્સટાઇલ માર્કેટમાંથી ચોરી,પાર્સલ ચોરી,ટ્રાન્સપોર્ટર દ્વારા વિશ્વાસઘાત,છેતરપીંડીના બનાવો બને છે.કપડાના વેપારીના ઓછાયા તળે કેટલાક ઠગો ખોટી ઓળખ ધારણ કરી,વેપારીરૂપે ગોઠવાઇ જઇ વિવર્સ,વેપારી એમ્બ્રોઇડરીના વેપારીઓનો વિશ્વાસ કેળવી મોટાપાયે છેતરપિંડી આચરે છે.આવા વધી રહેલા ગુનાઓને અટકાવવાં આ ક્ષેત્રમાં કામ કરતા કારીગર અને મજુરો,વેપારીઓ,કાપડના વિવિધ પ્રકારના દલાલો,ટ્રાન્સપોર્ટ વ્યવસાયિકો,
દુકાન-ગોડાઉન-મકાન ભાડે અપાવતા એસ્ટેટ બ્રોકર્સ વિગેરેની ઓળખ નિયત કરવી જરૂરી છે.જેથી સુરત પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જે મુજબ

(1) ટેક્સટાઇલ ક્ષેત્રે સંકળાયેલ તમામ વેપારી પેઢીઓ અને દુકાનદારો,ટેક્સટાઇલના તમામ પ્રકારના દલાલો જેવા કે ગ્રે કાપડ,ફિનીશ,એમ્બ્રોઇડરી,યાર્નના દલાલ વિગેરે અને દુકાન મિલકત ભાડે આપનાર દલાલોએ પોતાની વિગત નિયત નમૂનામાં સ્થાનિક પોલીસ સ્ટેશન,માર્કેટ એસોસિએશનની કચેરી અને સંબંધિત ટેક્સટાઇલ એસો.માં રજુ કરવાનું રહેશે.દરેક દલાલ માટે પોલીસ વેરીફિકેશન કરાવવું ફરજીયાત રહેશે.

(2) ટેક્સટાઈલ કંપનીઓએ પોતાના તમામ કર્મચારીઓની વિગત જાળવી દરેક કર્મયારીની બાયોમેટ્રીક વિગત અને ફોટા સાથેનું ઓળખકાર્ડ આપવાનું રહેશે.જેમાં કર્મચારીનું બ્લડગૃપ અને પેઢીના જનસંપર્ક વિભાગનો મો.નં. હોવો જોઈશે.ઓળખકાર્ડ સબંધિત એકમ/માર્કેટની સલામતી વ્યવસ્થા અને ઉપકરણોને અનુરૂપ હોવું જરૂરી છે.ટેક્સટાઈલ દલાલો માટેનું ઓળખકાર્ડ સબંધિત દલાલ એસો. તથા ટેક્સટાઇલ એસો. દ્વારા પ્રમાણિત હોવું જોઈએ.દરેક માર્કેટ એસોસિએશન અને વેપારી ગૃહ કે બિલ્ડીંગની વ્યવસ્થા સંભાળનાર મંડળે તે માર્કેટ/ બિલ્ડીંગમાં અને સલામતિ વ્યવસ્થા સંભાળતા કર્મચારીઓ,માર્કેટ જાળવણીનું કામ કરતી એજન્સીના સ્ટાફ, તેમજ મજૂર કે હમાલોને ફોટો ઓળખપત્ર જારી કરવાના રહેશે.

આ તમામ ઓળખપત્રો અદ્યતન ટેક્નોલોજીયુક્ત સલામતિ વ્યવસ્થા ઉપકરણોને અનુરૂપ અને ઓળખપત્રધારકની બાયોમેટ્રીક વિગત સાથેના હોવા જરૂરી છે.જાહેરનામાંનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

રાજયમાં હવે મોટા શહેરોમાં ટ્રાફિક પોલીસ વાહન ચાલકો પાસેથી હપ્તા નહીં ઉઘરાવી શકે
મોટા વરાછામાં રેપિડ ટેસ્ટ વિના 16નો કાગળ પર નેગેટિવ રિપોર્ટ
કોરોના અદ્રશ્ય દુશ્મન, દેશના લોકોનુ દુઃખ-દર્દ હું અનુભવી શકું છું : PM મોદી
રેમડેસીવીર કાંડ : ”ઇન્જેક્શન સરકાર” CR પાટીલ સામે કાર્યવાહી કરવામાં ફૂડ-ડ્રગ્સ વિભાગ લાચાર !! : તંત્રનું ભેદી મૌન
બોલિવૂડના દિગ્ગજ નિર્માતા વિજય ગલાનીનું લંડનમાં નિધન
Share This Article
Facebook Email Print
Previous Article રાજ્યના યુવા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગૃહવિભાગમાં ખદબદતા ભ્રષ્ટાચારને દૂર કરવા એક્શન લેવી જોઈએ !
Next Article વાપીમાં ભાજપના મુસ્લિમ કાર્યકર્તાને માર મારી તેના ઘર સામે ફટાકડા ફોડવામાં આવ્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up