સુરત : તા.24 મે 2019નો દિવસ સુરતવાસીઓ ક્યારેય ભૂલી નહીં શકે. આ દિવસે થયેલા અગ્નિકાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા.જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ફરતા થયા હતા.એ વીડિયો તો ઠીક એ ચિત્ર પણ આજે કોઈ ભૂલ્યું નથી.સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશિલા આર્કેડમાં સાંજે ચાર વાગ્યા આસપાસ એકાએક આગ લાગતા બધુ ખાખ થઈ ગયું હતું.
ધાબા પર તૈયાર કરવામાં આવેલા એક શેડમાં ટ્યુશન ક્લાસ ચાલતા હતા.જેમાં કુલ 22 જેટલા નિર્દોષ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો હતો.ઈમારતના ચોથા માળેથી જીવ બચાવવા માટે બાળકો કુદી રહ્યા હતા.તો 16 જેટલા નિર્દોષ બાળકો આગની ચપેટમાં આવી ગયા હતા.સરથાણાના જકાતનાકા પાસે તક્ષશિલા આર્કેડમાં બનેલી આ ઘટનામાં છ વ્યક્તિઓના ચોથા માળેથી કુદવાને કારણે મોત નીપજ્યા હતા.આ સમગ્ર ઘટનામાં કુલ 22 લોકોએ ગુમાવ્યો છે.સુરતમાં થયેલા આ કાંડને પગલે કુલ 14 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી 9 આરોપીઓ જામીન પર મુક્ત થયા છે.
આ પછી તેઓ પોતાની ફરજ પર હાજર થઈ ગયા છે.જ્યારે અન્ય પાંચ આરોપીઓ હજુ પણ જેલમાં બંધ છે.જેમાં ભાર્ગવ બુટાણી,રવિ કહાર,દિનેશ વેકરિયા,હરસુખ વેકરિયા તથા સવજી પાઘડાલનો સમાવેશ થાય છે.આ સમગ્ર ઘટનાની નોંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લીધી હતી.આ ઉપરાંત અનેક એવા કલાકારોએ આ ઘટનાને અતિ ગંભીર ગણાવી હતી.
આ મુદ્દે નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશને ગુજરાત સરકારને નોટીસ ફટકારીને જવાબ માગ્યો હતો.પણ હજું સુધી આ કેસમાં આરોપીઓ સામે ચાર્જફ્રેમ જ કરવામાં આવી નથી. તા.24 મેનો દિવસ સુરતના ઈતિહાસમાં કલંકીત દિવસ તરીકે અંકાઈ ગયો છે. બિલ્ડર પુત્ર જિજ્ઞેશ પાઘડાળ,ફાયર અધિકારી સંજય આચાર્ય,કીર્તિ મોઢ,મહાનગર પાલિકા અધિકારી અતુલ ગોરસાવાલા,હિમાંશુ ગજ્જર,પરાગ મુનશી,જયેશ સોલંકી,વિનુ પરમાર અને દીપક નાયકના જામીન કોર્ટે મંજૂર કર્યા છે.બિલ્ડરો તેમજ એમની પત્નીઓને આરોપી બનાવવાની અરજીના હુકમ પર ચાર્જ ફ્રેમ કરવાની કાર્યવાહી નામદાર કોર્ટમાં પેન્ડિગ છે.સોમવારે સાંજે વાલીઓ તરફથી શ્રદ્ધાંજલીનું પણ આયોજન કરાયું છે.આ ઘટનાને બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટિનું ભૂત એકાએક ધૂણ્યું હતું. અનેક મોટી ઈમારતમાં ચાલતા ટ્યુશન ક્લાસ પર ચેકિંગ કરાયું હતું.