– પાંડેસરામાં આવેલા પ્રાઈમ પોઈન્ટના રહિશોએ હોબાળો મચાવી આક્ષેપ કર્યા
સુરત : સુરતના પાંડેસરા વિસ્તારમાં ફાયર સેફ્ટીના મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે.ફાયર સેફ્ટીના અભાવે પાણીના ક્નેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.પાંડેસરના પ્રાઈમ પોઈન્ટ વડોદના 190 ફ્લેટના પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું છે.જેથી પાણી ન મળતાં લોકો ભેસ્તાન ખાતે આવેલા ફાયર સ્ટેશન પર પહોંચી ગયા હોય છે.જ્યાં એકઠા થયેલા લોકોએ હોબાળો મચાવ્યો હોય છે.સાથે જ આક્ષેપ કરતાં કહ્યું કે,અમે ફાયર સેફ્ટી મુદ્દે ઉધના ઝોનમાં જઈએ તો ભેસ્તાન ફાયર સ્ટેશન પર મોકલવામાં આવશે.પરંતુ અમારું કામ નથી થયું અને કોઈ જ નોટિસ આપ્યા વગર અમારૂં પાણીનું કનેક્શન કાપવામાં આવ્યું છે.
રહિશોએ હોબાળો મચાવ્યો
પાંડેસરા વિસ્તારમાં ફાયર સેફ્ટી નહીં હોવાના કારણે પાણીનું કનેકશન કાપી નાખવામાં આવ્યાં છે.જેથી પાણીના અભાવે રહીશોએ હોબાળો મચાવ્યો હતો.પ્રાઈમ પોઇન્ટ વડોદના રહીશોનો આક્ષેપો કે,ફાયર સેફ્ટી ન હોવાથી પાણીનું કનેકશન કાપી નાખવાની વાત માન્યામાં નથી આવતી.અમને ફાયર સેફ્ટી લગાવવામાં વાંધો નથી પરંતુ તંત્ર સાથ આપતું નથી.
ધક્કા ખવડાવાતા હોવાના આક્ષેપ
પ્રાઈમ પોઇન્ટ વડોદમાં 190 ફ્લેટના પાણીનાં કનેકશન કાપી નાખવામાં આવતાં ભેસ્તાન ફાયર સ્ટેશન પર રહિશો મોટી સંખ્યામાં પહોંચી ગયા હતાં.મહિલાઓ સહિતના લોકોએ કહ્યું કે,નોટિસ આપ્યા વગર પાણીનું કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે. અમે ઉધના ઝોનમાં જઈએ તો ભેસ્તાન ફાયર સ્ટેશન પર મોકલવામાં આવે છે અને ભેસ્તાન ફાયર સ્ટેશનથી ઉધના ઝોન મોકલમાં આવે છે,ત્યારે પાણી વગર કેમ જીવવું..