By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતના મોટા વરાછામાં ખોદકામ વખતે માટી ધસી પડતા 8 દટાયા, 2નાં મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતના મોટા વરાછામાં ખોદકામ વખતે માટી ધસી પડતા 8 દટાયા, 2નાં મોત
GeneralSurat

સુરતના મોટા વરાછામાં ખોદકામ વખતે માટી ધસી પડતા 8 દટાયા, 2નાં મોત

HM News
Last updated: 23/03/2021 9:29 AM
HM News
4 years ago
Share
SHARE

– દુર્ઘટનાને પગલે ચાર ફાયર સ્ટેશનની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

સુરત : સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા અબ્રામા નજીક સિલ્વાસા પેરેડાઈઝ નામની નવનિર્મિત બિલ્ડીંગના અંડર ગ્રાઉન્ડ પાર્કિંગમાં ખોદકામ થઈ રહ્યું હતું.આ દરમિયાન માટી ધસી પડતાં આઠ જેટલા શ્રમિકો દબાયા હતાં.નવનિર્મિત એપાર્ટમેન્ટના અંડર ગ્રાઉન્ડ ખોદકામ દરમિયાન સિમેન્ટની દિવાલ બનાવવા માટેનું કામ ચાલતું હતું.ત્યારે બનેલો સ્લેબ પડતા 20 ફૂટ નીચે શ્રમિકો દટાયાં હતાં. જેથી તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી રહી છે.ચાર ફાયર સ્ટેશનની દસથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં બે વ્યક્તિને બહાર કઢાયા છે જ્યારે બે શ્રમિકનાં મોત થયાં છે.

દુર્ઘટનાની જાણ થતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યાં હતાં.બીજી તરફ કતારગામ,કોસાડ,મોટા વરાછા,કાપોદ્રા ફાયરના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે રેસ્ક્યૂ કામગીરી કરી રહ્યાં છે.લોકોની ભીડ ઉમટી પડતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દબાયેલા વ્યક્તિઓને બહાર કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વિપુલ કંથારીયા (ફાયરને જાણ કરનાર)એ જણાવ્યું હતું કે, 2-4 મજૂરો દોડીને ચેક પોસ્ટ પર આવ્યા અને માટી ધસી પડી એના ઉપર સિમેન્ટનો સ્લેબ પડતા 20 ફૂટ ઉડા ખાડામાં મજૂરો દબાયા હોવાની હકીકત કહેતા ફાયર અને પોલીસને જાણ કરી હતી.ઘટના બાદ ચાર ફાયર સ્ટેશનની 10 ગાડીઓ દબાયેલા મજૂરોને બહાર કાઢવાની કોશિશ કરી રહી છે. ઘટના ને જોવા 400-500 નું ટોળું ભેગું થઈ જતા પોલીસ ગોઠવી દેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

કન્સ્ટ્રકશન સાઈટ ઉપર ઘણી બેદરકારી હોવાનું જણાઈ આવ્યું છે.કામ કરતા મજૂરો દિવાલના લગાવેલી માટે સાથે ધસી જવાથી નીચે દબાયા હતા.ભીની માટી હોવાથી તેમને બહાર કાઢવાની કામગીરીમાં પણ વિલંબ થઈ રહ્યો છે.ફાયર વિભાગની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને કાટમાળ નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી પુરજોશમાં શરૂ કરી દીધી છે.કાટમાળ નીચે કેટલા શ્રમિકો દબાયા હશે તેની સત્તાવાર રીતે ફાયર વિભાગ દ્વારા પણ કોઈ માહિતી આપવામાં આવી નથી.જોકે હાલ જે ભાગમાં દિવાલ છે ત્યાં આગળ રેસ્ક્યૂની કામગીરી કરવામાં ફાયર વિભાગની ટીમ જોડાઈ છે.

આ જિલ્લામાંથી 50 મુસ્લિમ પરિવારના 250 લોકોએ હિન્દુધર્મનો અંગીકાર કર્યો
રાજ ઠાકરેનો કાર્યક્રમ જોઈને લાગ્યુ કે ભાજપનો કાર્યક્રમ છેઃ રાજ ઠાકરે પર ભડકયા શિવસેના પ્રવક્તા સંજય રાઉત
પંજાબમાં ભગવંત માન હશે આપના સીએમ ઉમેદવાર, કેજરીવાલે કરી જાહેરાત
ચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપી પોલીસ અધિકારીઓ હજુ પકડથી દૂર
ઇનપુટ ટેક્સ ક્રેડિટનાં ખોટા દાવા મામલે DGGIની એમેઝોનને શો કોઝ નોટીસ
Share This Article
Facebook Email Print
Previous Article એન્ટિલિયા કેસ : NIAને સચિન વઝેની સિક્રેટ ડાયરીમાં રૂપિયાની લેવડ-દેવડના પુરાવા મળ્યા, ધમકીવાળા લેટરની જેમાંથી પ્રિન્ટ કાઢી હતી તે પ્રિન્ટર પણ જપ્ત
Next Article ભારતીય શેરબજારમાં અફડા તફડી વચ્ચે સ્ટોક સ્પેસિફિક તેજી યથાવત્…!!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up