[weather_data]
Breaking News
TRENDING NEWS

સુરતની એરપોર્ટને નડતરરૂપ બિલ્ડિંગો અંગે મોટો નિર્ણય

[updated_date] [post_views]

Table of Content

સુરત એરપોર્ટના રન-વેના વિસ્તરણમાં નડતરરૂપ ફ્લેટધારકોના હિતમાં આજે નવસારીના સાંસદ સી આર પાટીલે બિલ્ડરો સાથે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપ સિંગ પુરી સમક્ષ રજુઆત કરી હતી. જે રજુઆત દરમ્યાન કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રન-વેના વિસ્તરણ મુદ્દે ફ્લેટ ધારકોના હિતમાં નિર્ણય લેવામાં આવશે.

સુરત એરપોર્ટમાં વેસુ તરફ રન-વેના વિસ્તરણ મુદ્દે છેલ્લા કેટલાય સમયથી વિવાદના વમળ ઉભા થતાં રહ્યાં છે. હાલમાં જ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (ડીજીસીએ) દ્વારા વેસુ વિસ્તારમાં આવેલ 17 રહેણાંક પ્રોજેક્ટોની 70 ઈમારતોને નોટિસ પાઠવી હતી. જેના કારણે ફ્લેટધારકોમાં હોબાળો મચી જવા પામ્યો હતો. આ સમગ્ર પ્રકરણની મડાગાંઠ ઉકેલાય અને ફ્લેટ ધારકોનું હિત સચવાય તેવા ઉદ્દેશ્ય સાથે આજે નવસારીના સાંસદ સી આર પાટીલે શહેરના નામાંકિત બિલ્ડરો પૈકી રવજીભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, રાહુલ રાજેન્દ્ર શાહ, કિશનકુમાર દામોદર, વિપુલભાઈ શાહ અને શિવલાલભાઈ પોનીકા સાથે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી હરદીપ સિંગ પુરીને રજુઆત કરી હતી.

બિલ્ડરોના પ્રતિનિધિ મંડળ સાથે સાંસદ સી આર પાટીલની અસરકારક રજુઆતને ધ્યાને રાખીને કેન્દ્રીય મંત્રી શ્રી હરદીપ સિંગ પુરીએ  ડિમોલિશનની તલવાર લટકતી હોય તેવા સેંકડો ફ્લેટ ધારકોના હિતને ધ્યાનમાં રાખવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નવા નિયમો અંતર્ગત એરપોર્ટના રન-વે વિસ્તરણ દરમ્યાન કોઈ ફ્લેટધારકો બેઘર ન બને તેનું પણ સવિશેષ ધ્યાન રાખવામાં આવશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંગ પુરી દ્વારા બિલ્ડરો સમક્ષ હૈયાધરપત આપવામાં આવતાં વેસુ વિસ્તારમાં આવેલ નડતરરૂપ ઈમારતોના ફ્લેટ હોલ્ડરોમાં પણ રાહતની લાગણી પ્રસરી જવા પામી છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles