– મૃત્યુઆંક 1140 અને કુલ 53828 દર્દી રિકવર થયા
– શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1420 થઈ
સુરત : મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે,સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 56388 પર પહોંચી ગયો છે.આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1140 થયો છે.ગત રોજ શહેરમાંથી 171 અને જિલ્લામાંથી 29 મળી 200 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયાં છે.અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 53828 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચૂક્યા છે.દરમિયાન આજે પાલિકા દ્વારા જાહેનામુ બહાર પાડવામાં આવ્યું છે કે, સુરતમાં અન્ય રાજ્યમાંથી આવનાર તમામ વ્યક્તિએ ફરજીયાત સાત દિવસ હોમ ક્વોરન્ટીન રહેવું પડશે.
સિવિલ અને સ્મીમેરમાં 21 દર્દીની હાલત ગંભીર
શહેર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે.સાજા થનારા દર્દીઓની સંખ્યા સામે પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે.મંગળવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 1420 થઈ ગઈ છે.સિવિલ હોસ્પિટલમાં 35 દર્દીઓ પૈકી 12 ગંભીર છે.જેમાં 1 વેન્ટીલેટર, 5 બાઇપેપ અને 6 ઓક્સિજન પર છે.સ્મીમેરમાં 14 ગંભીર પૈકી 3 બાઇપેપ અને 6 ઓક્સિજન પર છે.
સુરત શહેર જિલ્લામાં નવા નોંધાયેલા કેસમાં સિવિલના ડોક્ટર,સ્મીમેર હોસ્પિટલમાં સ્ટાફ નર્સ અને કર્મચારી,10 વિદ્યાર્થી,ટેક્સટાઇલ,સાડી,લાકડા,કન્ટ્રકશન,કાપડ વ્યવસાયી સહિત 15 વ્યવયાસી,સાયણમાં લુમ્સ ફેકટરીધારક,કાપડ દુકાનદાર અને આનંદ મહેલ રોડના પેટ્રોલ પંપના કર્મચારી કોરોનાની ઝપેટમાં આવ્યા છે.


