સુરતમાં આયોજિત તિરંગા યાત્રામાં CMએ આપી હાજરી, દેશભક્તિનો છવાયો માહોલ : જુઓ વિડિયો

HM News
1 Min Read

– રાજયના મુખ્યમંત્રીની હાજરીમાં તિરંગા પદયાત્રાનો પ્રારંભ કરાયો
– લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી તિરંગા પદયાત્રાનો કરાયો પ્રારંભ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સુરત શહેરથી આજરોજ રાજય વ્યાપી હર ઘર તિરંગા અભિયાનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,ગૃહ મંત્રી હર્ષ સંઘવી,પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિત નેતાઓ મંત્રીઓ ધારાસભ્યોની હાજરીમાં શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ થી તિરંગા પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.સુરતમાં યોજાયેલ ઐતિહાસિક તિરંગા પદયાત્રાનો મુખ્યમંત્રી એ શુભારંભ કરાવ્યું હતું.એટલું જ નહિ પણ રાજ્યના મુખ્યમંત્રી,ગૃહરાજ્ય મંત્રી,પ્રદેશપ્રમુખ,સુરતના મેયર,કમિશનર સહિત ધારાસભ્યો તમામ રાજકીય નેતાઓ મક્કમ પગલે સાથે હાથમાં તિરંગો લઈને પદયાત્રામાં જોડાયા હતા.અને હજારો લોકો પણ આ પદયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા.હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આ વિશેષ પદયાત્રાનો આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાનું આયોજન કરવામાં આવ્યું છે.જેનું આજરોજ ગુજરાત રાજ્ય વ્યાપી ઘર તિરંગા નું લોન્ચિંગ સુરતથી કરાયું છે.

 

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી પીપલોદના કારગીલ ચોક સુધી તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ઉત્સાહભેર સુરતીઓએ ભાગ લીધો હતો.પદયાત્રામાં જોડાયેલા વિદ્યાર્થી,શિક્ષકો અને શહેરીજનોએ વિવિધ સાંસ્કૃતિક ગ્રુપોએ દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.સાંસ્કૃતિક જલકો જોવા મળી હતી.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *