સુરતઃ સમગ્ર વિશ્વ આજે વૈશ્વિક મહામારી કોરોનાને લઈ હાલાકી ભોગવી રહ્યું છે.જેમાં ભારત પણ બાકાત નથી રહ્યું છે.ત્યારે કોરોનાનું આ સંક્રમણ અટકાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.અને આ લોકડાઉનનો અત્યારે ત્રીજો તબ્બકો ચાલી રહ્યો છે.જોકે આ લોકડાઉનમાં સુરતમાં અન્ય રાજ્યોમાંથી રોજગાર માટે સુરતમાં વસતા પરપ્રાંતીય લોકોની હાલત દયનીય બની છે.શહેરના એ.કે રોડ વિસ્તારમાં ડાઈંગ મિલનાં કારીગરોને માલિકો દ્વારા અત્યાર સુધીનો તો પગાર આપવામાં આવ્યો નથી અને અન્ય કોઈ સહાય પણ કરવામાં આવી નથી.જેને લઈને આજે આ કારીગરોએ રસ્તા પર આવી થાળી વગાડી માલિકો સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો.વૈશ્વિક મહામારી કોરોનાને લઈ સમગ્ર વિશ્વ લડી રહ્યું છે.આ જીવલેણ બીમારીને લઈ લોકો મોતને ભેટી રહ્યા છે.આજે સમગ્ર ભારતમાં હજારોની સંખ્યામાં કોરોનાના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.ગુજરાતમાં પણ કોરોનાએ પોતાનો સકંજો કસ્યો છે.જો વાત સુરત શહેર અને જીલ્લાની કરવામાં આવે તો પોઝિટિવ કેસોની સંખ્યા 693 થઇ છે.ત્યારે આ જીવલેણ બીમારીનું સંક્રમણ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું.
આ લોકડાઉનમાં બે વખત વધારો કરી અત્યારે દેશમાં લોકડાઉનનો ત્રીજો તબ્બકો ચાલી રહ્યો છે.લોકડાઉન લાગુ થયા શહેરમાં ચાલતા ધંધો-રોજગાર સંપૂર્ણ પણે ઠપ થઇ જતા અન્ય રાજ્યોમાંથી રોજગાર માટે સુરતમાં વસતા પરપ્રાંતીય લોકોની હાલત દયનીય બની છે.પરિવાર સાથે અહી વસવાટ કરતા પરપ્રાંતીયોને માલિકો દ્વારા પગાર નહી અપાતા તેઓની હાલત જાયે તો જાયે કહા જેવી થઇ છે. શહેરમાં એ.કે.રોડ વિસ્તારમાં લબ્ધિ નામની ડાઈંગ એન્ડ પ્રિન્ટીંગ મિલ આવેલી છે.લોકડાઉન લાગુ થતા મીલનું કામકાજ ઠપ થઇ ગયું છે.જેને લઈને મિલમાં કામ કરતા 200થી 250 કારીગરોની હાલત કફોડી બની છે.આ કારીગરોને માલિકો દ્વારા આ કપરા સમયમાં પણ પગાર નહી આપતા કારીગરોને પરિવાર સાથે પોતાનો જીવન નિર્વાહ કરવો મુશ્કેલ બન્યો છે.જેને લઈને આજે આ કારીગરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. અને થાળી વગાડી વિરોધ નોધાવતો હતો.
મિલમાં કામ કરતા એક કારીગરે જણાવ્યું હતું કે તે આ મિલમાં છેલ્લા 20 વર્ષથી નોકરી કરે છે.લોકડાઉન લાગુ થતા તેઓને ભારે હાલાકી પડી રહી છે. તેઓને ફેબ્રુઆરી અને માર્ચ મહિનાનો માલિકો દ્વારા પગાર હજુ સુધી ચૂકવામાં આવ્યો નથી.તેઓ અહી પરિવાર સાથે વસવાટ કરે છે.જેને લઈને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.
સુરત મનપા દ્વારા શરુ કરાયેલી ભોજન વ્યવસ્થામાં તેઓને ભોજન મળી રહે છે.પરંતુ તે કોઈ દિવસ આવે તો કોઈ દિવસ નહિ આવે.જેને લઈને ભોજન માટે આમ તેમ ભટકવું પડે છે.અને જ્યાં ભોજન વિતરણ થતું હોય ત્યાં લાઈન લગાવીને ભોજન મેળવે છે.પગાર મામલે કારીગરોએ માલિકોને રજૂઆત કરી હતી.પરંતુ તેઓ દ્વારા કોઈ કાર્યવાહી નહી કરાતા આજે આ કારીગરોની હાલત જાયે તો જાયે કહા જેવી થઇ છે.