[weather_data]
Breaking News
TRENDING NEWS

​​​​​​​સુરતમાં કુરૂક્ષેત્ર સ્મશાનભૂમિમાં અંતિમસંસ્કાર માટે 6 ગેસની ભઠ્ઠી સાથે 8 ચીમની તૈયાર કરાઈ

[updated_date] [post_views]

Table of Content

– અંતિમ સંસ્કારમાં પડતી મુશ્કેલી નિવારવા સ્મશાનભૂમિ દ્વારા પ્રયાસ

​​​​​​​સુરત : સુરતમાં કોરોના સંક્રમણને કારણે મોતનો આંકડો સતત વધી રહ્યો છે.જેને લઇને હવે મૃતદેહોના ઝડપથી અંતિમસંસ્કાર થાય તેના માટે સ્મશાન ગૃહના સંચાલકો વ્યવસ્થા વધારી રહ્યા છે.સુરતના કુરુક્ષેત્ર સ્મશાન ગૃહમાં કોરોના સંક્રમિત મૃતદેહો માટે 6 ગેસની અને 8 ડેમ્પર ચિમની વાળી લાકડાની ભટ્ટીમાં પ્રોટોકોલ પ્રમાણે મૃતદેહને અગ્નિસંસ્કાર આપવા માટે ઉપયોગમાં લેવાશે. તેમજ આગામી દિવસોમાં અન્ય ચાર જેટલી ગેસ ચેમ્બર તૈયાર કરવામાં આવશે.

કુરુક્ષેત્ર સ્મશાન ગૃહમાં સુરતમાં વર્ષો પહેલા તાપી નદીના કિનારે જે જૂની લાકડાની ભઠ્ઠીઓ હતી.એ સ્થળ પર અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતાં. જે વર્ષો પહેલા બંધ કરી દેવામાં આવી હતી.તાપી તટના લગોલગ આવેલા ભઠ્ઠીઓનો ઉપયોગ વર્ષોથી બંધ કરી દેવાયો હતો.પરંતુ અત્યારની સ્થિતિ જોતાં હવે સુરતમાં વર્ષો જૂની પરંપરા પ્રમાણે જે ભઠ્ઠીમાં અગ્નિસંસ્કાર કરવામાં આવતા હતાં,ત્યાં ફરીથી 8 ભઠ્ઠીઓ શરૂ કરવા માટેની તૈયારી થઈ ગઈ છે.

કુરુક્ષેત્ર સ્મશાન ગૃહના પ્રમુખ કમલેશ પટેલે જણાવ્યું કે, અમે તાકીદે નવી સુવિધા ઉભી કરવા માટેનું આયોજન કરી રહ્યા છીએ.હાલ કોરોના સંક્રમિત વૃદ્ધો માટે ચાર ચેમ્બરમાં અંતિમક્રિયા કરવામાં આવતી હતી.તેને વધારીને હવે આઠ ચીમનીનો ઉપયોગ શરૂ કરવામાં આવશે.એટલે કે, કુલ 14 ભઠ્ઠીઓમાં કોરોના સંક્રમિત મૃતદેહોને અગ્નિ સંસ્કાર કરાશે.તેમજ ટૂંક સમયમાં અન્ય ચાર ગેસ ચેમ્બર તૈયાર કરવાનો નિર્ણય કર્યો છે જેથી કરીને કોરોના સંક્રમિત મૃતદેહોને ઝડપથી અને યોગ્ય રીતે અંતિમવિધિ કરી શકાય.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles