કોરોનાના સંક્રમણને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતું. લોકડાઉનમાં મોટા ભાગના ધંધા-ઉદ્યોગ બંધ થતા લોકોને આર્થિક સંકટનો સામનો કરવાનો વારો આવ્યો હતો.આર્થિક સંકડામણમાં કેટલાક લોકોએ આપઘાત કર્યો હોવાના પણ કિસ્સાઓ સામે આવ્યા છે.તો કેટલાક લોકો પૈસા મેળવવા માટે ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળ્યા છે.કેન્દ્ર સરકારે તબક્કાવાર રીતે અનલોકમાં ધંધા-ઉદ્યોગને ખોલવાની છૂટ આપી છે.હાલ મોટા ભાગના ધંધા-ઉદ્યોગ શરૂ થયા છે પરંતુ સુરતમાં આર્થિક સંકડામણમાં આવેલા બે વેપારી ગુનાહિત પ્રવૃત્તિ તરફ વળ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે.વેપારીઓએ પૈસા મેળવવા માટે દારૂનો ધંધો શરૂ કર્યો પરંતુ તેમનો આ ધંધો વધારે સમય ન આવ્યો અને બંને પોલીસના હાથે ઝડપાઇ ગયા.
રિપોર્ટ અનુસાર સુરતની અડાજણ પોલીસને માહિતી મળી હતી કે, તેમના જ વિસ્તારમાં એક ઈસમ દારૂનું વેચાણ કરી રહ્યો છે.જેથી પોલીસે બાતમીના આધારે અડાજણ વિસ્તારમાં આવેલા સંતોષ નગર અને મયુર નગરમાં બાતમીના આધારે છાપો માર્યો હતો.પોલીસે કાર્યવાહી દરમિયાન કેતન પાટીલ અને મિલિન્દ ગુપ્તાની ધરપકડ કરી હતી.આ બંને જગ્યા પરથી પોલીસે એક 1.16 લાખ રૂપિયાનો દારૂનો મુદ્દામાલ કબજે લીધો હતો.પોલીસે બંને ઈસમોની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, કેતન પાટીલ નામના વ્યક્તિ DJ સાઉન્ડનો ધંધો કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો પરંતુ કોરોનાની મહામારી વચ્ચે મોટી-મોટી ઇવેન્ટ અને લગ્ન પ્રસંગ ધામધૂમથી થતા ન હોવાના કારણે કેતન આર્થિક મુશ્કેલીમાં આવી ગયો હતો અને તેને પૈસા મેળવવા માટે દારૂના વેચાણની શરૂઆત કરી હતી.
આ ઉપરાંત બીજી ઘટનામાં પોલીસે અગરબત્તીના વેપારીને દારૂની ખેપ મારતા પકડયો હતો.આ વેપારી પણ સુરતના અડાજણ વિસ્તારમાં રહેતો હતો.મળતી માહિતી અનુસાર અડાજણ વિસ્તારમાં આવેલા ક્રિષ્ના પાર્કમાં પરિવારની સાથે રહેતો ઉદયલાલ પ્રજાપતિ નામનો વ્યક્તિ અગરબત્તીના વ્યવસાય સાથે સંકડાયેલો હતો.કોરોનાની મહામારી વચ્ચે તેનો અગરબત્તીનો ધંધો બરાબર ન ચાલતા ઉદયલાલ પ્રજાપતિએ દારૂની મારવાનું શરૂ કર્યું હતું.ત્યારે PCB પોલીસને બાતમી મળી હતી કે,ઉદયલાલ પ્રજાપતિ દારૂની ખેપ મારવાનો છે.આ માહિતી મળતા પોલોસે બાતમીવાળી જગ્યા પર પોલીસે વોચ ગોઠવી હતી. સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાંથી ઉદયલાલ પ્રજાપતિની ધરપકડ કરી હતી.પોલીસે ઉદયલાલ પ્રજાપતિ પાસેથી કાર,દારૂ અને મોબાઈલ સહિત કુલ 2.60 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.