સુરત : સુરતમાં છેલ્લા 10 થી 12 દિવસથી કોરોના કસ પ્રતિદિન વધી રહ્યા છે.તેવા સમયે નવી સિવિલ હોસ્પિટલમાં મેડીસીન અને ટી.બી એન્ડ ચેસ્ટ તથા બાળકોની ઓ.પી.ડી પાસે કોરોના શંકાસ્પદ દર્દીઓના રેપીડ ટેસ્ટ કરવામાં આવશે.જયારે સિવિલની કોવિડ હોસ્પિટલમાં પાંચ એકસ રે ટેકનીસીયન અને બે ટેકસીસીયન ભરતી કરવામાં આવશે.
સુરત સિટીમાં કોરોના કેસમાં સતત વકરી રહ્યો હોવાથી છેલ્લા 10 દિવસમાં કોરોના 302 દર્દી ઝપેટમાં છે.તેવા સમયે સિવિલના સ્ટેમસેલ બિલ્ડીંગ કમ કોવિડ હોસ્પિટલમાં ઓ.પી.ડીમાં કોરોના અંગે સારવાર માટે આવતા દર્દીઓની સંખ્યા વધી રહી હોવાથી હાલમાં ૧૫થી૨૦ દર્દી આવી રહ્યા છે.જોકે સિવિલ ખાતે કોરોનામાં સિવિલના રેસીડન્ટ ડોકટર સહિત ૮ દર્દી વોર્ડમાં દાખલ છે.આવા સંજોગોમાં નવી સિવિલમાં મેડીસીન વિભાગ અને ટી.બી એન્ડ ચેસ્ટ વિભાગ તથા બાળકો વિભાગની ઓ.પી.ડી રોજના ધણા દર્દી સારવાર માટે આવે છે.
જેમાં જે દર્દીને કોરોના લક્ષણો હશે.તેવા દર્દીઓના ત્યાં રેપીડ ટેસ્ટ કરવામાં આવશે.અને જરૃર હશે.તાવા દર્દીને કિવિડ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.એવુ સિવિલના તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકરે જણાવ્યુ હતુ.વધુ માટે તેમણે કહ્યુ કે સિવિલની કોવિડ હોસ્પિટલમાં કોરોના અંગેની સારવાર માટે ધણા દર્દીઓ આવી રહ્યા છે.જેથી કોરોના અંગેના દર્દીઓ એકસ રે પડાવવા માટે સિવિલના રેડીયોલોજી વિભાગ સુધી નહી આવવુ પડે.ત્યાંજ એકસ રે પડે.જોકે ત્યાં નવા પાંચ એકસ રે ટેકનીસીયન અને બે લેબોટરી ટેકનીસીયનની જરૃરીયાત પ્રમાણે ભરતી કરવામાં આવશે.