By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં ખાનગી હોસ્પિટલે દર્દીનો મૃતદેહ રસ્તા વચ્ચે રઝળતો કરી ગેટને તાળા માર્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં ખાનગી હોસ્પિટલે દર્દીનો મૃતદેહ રસ્તા વચ્ચે રઝળતો કરી ગેટને તાળા માર્યા
GeneralSurat

સુરતમાં ખાનગી હોસ્પિટલે દર્દીનો મૃતદેહ રસ્તા વચ્ચે રઝળતો કરી ગેટને તાળા માર્યા

HM News
Last updated: 01/05/2021 7:53 AM
HM News
4 years ago
Share
SHARE

– હોસ્પિટલ દ્વારા વારંવાર સારવારના નામે રૂપિયા માંગવામાં આવ્યા હતા
– ભગવાન નાયકનો મૃતદેહ હોસ્પિટલની બહાર મૂકીને તેઓએ હોસ્પિટલને તાળુ મારી દીધું

સુરત : જેમ જેમ કોરોના વકરતો જઈ રહ્યો છે,તેમ તેમ લોકો માનવતાહીન બની રહ્યાં છે.એક તરફ એવા લોકો છે,જે માનવતા દાખવીને સેવા કાર્ય કરે છે. પરંતુ કેટલાક લોકો એવા છે જે મેડિકલ સુવિધાના નામે ઠગી રહ્યા છે.સુરતમાં એવો કિસ્સો સામે આવ્યો છે,જેમાં કોરોનાના દર્દીનો મૃતદેહ રઝળી પડ્યો હતો. પાંડેસરમાં આવેલી પ્રિયા જનરલ હોસ્પિટલનો બનાવ સામે આવ્યો છે.જેમાં મૃતદેહને હોસ્પિટલની બહાર મૂકીને સંચાલકોએ તાળુ મારી દીધું હતું.મૃતકના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા કે, હોસ્પિટલનું બિલ ભરવા બાબતે તેમણે આ કૃત્ય કર્યું હતું.ત્યારે આ ઘટના બાદ પાંડેસરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભગવાન નાયક નામના એક શખ્સને બે દિવસ પહેલા તાવ આવ્યો હતો.તેમના પિતા ત્રિનાથ નાયકે કહ્યું કે, તેમણે પાંડેસરમાં આવેલી પ્રિયા જનરલ હોસ્પિટલના ડોક્ટરને બતાવ્યું હતું.જ્યાં તેઓ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું હતું. જોકે, હોસ્પિટલ દ્વારા વારંવાર સારવારના નામે રૂપિયા માંગવામાં આવ્યા હતા.જોકે, તેમ રૂપિયા આવ્યા છતાં તેમના પુત્રને સારુ થયું ન હતું.

આમ, હોસ્પિટલ દ્વારા વારંવાર રૂપિયા માંગવામાં આવતા હતા. જોકે, આખરે ભગવાન નાયક મૃત્યુ પામ્યા હતા.પરંતુ આ વચ્ચે હોસ્પિટલ માનવતા ભૂલી ગઈ હતી.ભગવાન નાયકનો મૃતદેહ હોસ્પિટલની બહાર મૂકીને તેઓએ હોસ્પિટલને તાળુ મારી દીધું હતું.તો બીજી તરફ, આ દ્રષ્યો જોઈ નાયક પરિવાર હેબતાઈ ગયો હતો.આઘાત પામેલા પરિવારે પોલીસને બોલાવી હતી.જેથી હાલ પાંડેસરા પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.પરિવારે કહ્યું હતું કે,અમને ન્યાય મળે કે નહીં પણ અમારામાં માનવતા છે એટલે અમે દીકરાના મૃતદેહને લઈ જઈશું અને અંતિમવિધિ કરી તેની આત્માને શાંતિ આપીશું.

એકનાથ શિંદે જૂથ હવે શિવસેનાના ‘ધનુષ્ય અને બાણ’ ચિહ્ન પર કરી શકે છે દાવો
અમરેલી જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ‘આપ’માં જોડાયા, ભાજપ પર કર્યો આ મોટો આક્ષેપ
શું ગુજરાતના વિકાસના હવનમાં હાડકાં નાખનારા રાક્ષસો કોંગ્રેસીઓ છે? : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ
કોરોના : દેશમાં છેલ્લા 24 કલાકમાં 11 હજારથી વધુ નવા કેસ નોંધાયા
સૌરાષ્ટ્રમાં સ્થિતિ અત્યંત ગંભીર, લોકો સારવાર માટે ભાડા ખર્ચી સુરત શિફ્ટ થઇ રહ્યા છે
Share This Article
Facebook Email Print
Previous Article સુહાગરાતના દિવસે આવ્યો તાવ, લગ્નના 72 કલાક પછી જ કોરોનાથી વરરાજાનુ મોત
Next Article કોરોના સંકટમાં મોદી સરકારે કરી મોટી મદદ, રાજ્યો માટે જાહેર કર્યો 8,873 કરોડનો પ્રથમ હપ્તો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up