સૂરત,15 ડિસેમ્બર : સુરત શહેરમાં શાંતિ અને સલામતી જળવાય રહે,મુકત વાતાવરણનું નિર્માણ થાય તેવા હેતુથી સુરત શહેરના પોલિસ કમિશનર અજય તોમરે ચૌધરીએ એક જાહેરનામા દ્વારા 15 ડિસેમ્બરથી થી 29 ડિસેમ્બર સુધી સુરત શહેર પોલિસ કમિશનરની હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં જાહેર જગ્યા ઉપર ચાર કરતા વધારે માણસોએ ભેગા થવા,કોઈ સભા ભરવી કે બોલાવવી નહી તેમજ કોઈ અભદ્દ્ર ભાષા વાપરવા કે કોઈ દ્રી અર્થી શબ્દો કે તેના બે અર્થ થતા હોય તેવા ઈરાદા પૂર્વક ઉશ્કેરણી જનક શબ્દો વાપરવા કે કોઈ સરધસ કાઢવા પર ભરવા પર મનાઈ હુકમ ફરમાવ્યો છે.આ હુકમ સરકારી ફરજમાં હોય તો તેઓને આ હુકમ લાગુ પડશે નહિ.આ હુકમનો ભંગ કે ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.