By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલી યુવા મોરચાની મિટિંગમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલી યુવા મોરચાની મિટિંગમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
GeneralPoliticsSurat

સુરતમાં ભાજપના કાર્યાલય ખાતે યોજાયેલી યુવા મોરચાની મિટિંગમાં ઉડ્યા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા

HM News
Last updated: 21/06/2021 6:32 AM
HM News
4 years ago
Share
SHARE

– નેતાઓ સત્તાની લાલસામાં લોકોના જીવ જોખમમાં મૂકવાનું ક્યારે બંધ કરશે?

સુરત : કોરોના સંક્રમણ ફેલાવવા માટે વધુ સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તે ખૂબ જરૂરી છે.કોરોના સંક્રમણ અટકાવવા માટે સરકારે જે ગાઈડલાઈન આપી છે તેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે,બીજી લહેરમાં જે પ્રકારે સ્થિતિની થઈ હતી તેનાથી બોધપાઠ લઈને નેતાઓએ વિશેષ કરીને મોટી સંખ્યામાં લોકો એકત્રિત ન થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.પરંતુ નેતાઓ સત્તાની લાલસામાં લોકોના જીવ જોખમમાં મૂકવાનું ટાળતા નથી.સુરતમાં ઉધના ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાને પ્રથમ મીટિંગ મળી હતી.જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવવામાં આવ્યા હતા.જ્યારે અડધા જેટલાએ તો માસ્ક પણ પહેર્યા ન હતા.

ઉધના ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાને પ્રથમ મીટિંગ મળી હતી.સુરત શહેરના નવનિયુક્ત ભાજપના યુવા મોરચાના પ્રમુખ ભાવિન ટોપીવાલાની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.હવે ભાજપના યુવા મોરચા દ્વારા મહિનાના પહેલા રવિવારે મિટિંગનું આયોજન કરવાનો નિર્ણય કર્યો છે.ગત રોજ ભાજપ કાર્યાલય ખાતે યુવા મોરચાની પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સોશિયલ ડિસ્ટન્સ જણવાયું ન હતું તેમજ કોરોના ગાઇડ લાઇનનું પણ ઉલ્લંઘન થતું સ્પષ્ટ દેખાતું હતું.

ભાજપ કાર્યાલય ખાતેથી જ નેતાઓ વિવિધ કાર્યક્રમના આયોજન કરતા હોય છે તેવા સમયે તેમણે પોતાની જવાબદારી સમજવી આવશ્યક છે.કાર્યાલય ખાતેથી નક્કી થાય છે કે સંગઠન માટે કેવી રીતના કાર્યક્રમ કરવાના છે અને કેટલા લોકોને ક્યાં ભેગા કરવાના છે.જો અહીંથી જ તમામ કાર્યક્રમો અંગે અંકુશ લાવવામાં આવે તો કોરોના સંક્રમણની જે ભીતિ સેવાઈ રહી છે તે કંઈક અંશે ઘટી શકે છે.

આગામી છથી આઠ અઠવાડિયામાં કોરોના સંક્રમણની ત્રીજી લહેરાવી શકે છે એ શક્યતા બાદ પણ નેતાઓ પોતાના કાર્યક્રમો ટાળવાનો જરૂરી નથી સમજી રહ્યા.બીજા શહેરમાં પણ આ જ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું હતું.નેતાઓએ કરેલા કાર્યક્રમોને કારણે કોરોના સંક્રમણ વધુ વ્યાપક રીતે ફેલાયો હતો અને સુરત શહેરમાં અનેક લોકોના જીવ ગયા હતા.બીજી લહેર જેવા ભયાવહ દ્રશ્યો ત્રીજી લહેરમાં ન જોવા હોય તો નેતાઓએ પોતાની સામાજિક જવાબદારી સમજીને પણ કાર્યક્રમ ટાળવા જોઈએ.કોરોના ગાઇડલાઇન ઉલ્લંઘન બાબતે કોઈપણ રાજકીય નેતાની સામે સખ્તાઈપૂર્વકના પગલાં ન લેવાના કારણે તેઓ બેફામ રીતે કાર્યક્રમોનું આયોજન કરતાં રહે છે.

હવે તો હદ થઈ ગઈ! રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થીઓએ એક વિદ્યાર્થી પર સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય કર્યું
લેબેનોનના આતંકવાદી સંગઠન હમાસ સંલગ્ન ઇસ્લામિક જૂથે બિરઝેઈટ યુનિવર્સિટી વિદ્યાર્થી પરિષદની ચૂંટણી જીતી
દવા કંપનીઓ દ્વારા ડોક્ટરોને મફતમાં વસ્તુઓ આપવી ગેરકાયદે ઃ સુપ્રીમ
કરદાતાઓ હવે પોતાની મનસુફી પ્રમાણે ટેકસ ભરી શકશે
HM Exclusive : CGST વિભાગની કામગીરી શંકાના દાયરામાં ! ચીફ કમિશનર અજય ઉબાલે કૌભાંડીઓની ધરપકડ કયારે કરશે ?
Share This Article
Facebook Email Print
Previous Article સુરતના પાંડેસરાનાં સરસ્વતી આવાસમાં સ્લેબ ધરાશાયી થતા 8 માસની બાળકીનું મોત
Next Article મઢી સુગર ફેકટરીના વિવાદાસ્પદ MDનું રાજીનામુ સ્વીકારાયું : નવા MDની નિમણૂક
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up