– લિંબાયત ઝોનમાં સૌથી વધુ 15 કેસ નોંધાયા છે.જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 7,કતારગામ ઝોનમાં 7 કેસ નોંધાયા
સુરતમાં શહેર વિસ્તારમાં 35 જયારે ગ્રામીણમાં 5 દર્દી સાથે 40 દર્દી નોંધાયા છે.જેને લઇને દર્દી સંખ્યા કુલ 1173 પર પોચી છે જયારે એક દર્દીનું મોત થયા મરણ આંક 53 પર પહોંચ્યો છે.કોરોના વાઇરસને લઇને ગુજરાત અમદાવાદ બાદ સુરતમાં સતત દર્દીની સંખ્યા વધી રહી છે.આજે સુરતમાં 40 દર્દી નોંધાયા છે.જેમાં શહેર વિસ્તારમાં 35 દર્દી સાથે દર્દીની સંખ્યા 1090 જયારે ગ્રામીણ વિસ્તારમાં આજે કોરોના પોઝિટિવ દર્દી નોંધાતા દર્દી સંખ્યા 83 પર પહોંચી છે.ત્યારે કુલ દર્દી સંખ્યા 1173 પર પહોંચવા પામી છે.દરમિયાન લૉકડાઉનના 55માં દિવસે પણ સુરતમાં 41 વિસ્તારોમાં કન્ટેઇનમેન્ટ એરિયા તરીકે રાખવામાં આવ્યા છે જેમાં મળીને કુલ 16 લાખ નાગરિકો ક્વૉરન્ટીનમાં છે.જોકે આજે વધુ એક દર્દીનું મોત પણ નોંધાયું છે.શહેરના ઉમરવાડા સંજયનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા 49 વર્ષીય મેહબૂબ ખાન ઉમરખાન શેખનો 13 મેના રોજ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.જેનું આજે મોત થયું છે.તેમને કેન્સરની બીમારી હતી.જોકે આ સાથે મારણ આંક 53 પર પહોંચ્યો છે જેમાં લિંબાયત ઝોનમાં સૌથી વધુ 15 કેસ નોંધાયા છે.જ્યારે સેન્ટ્રલ ઝોનમાં 7, કતારગામ ઝોનમાં 7,વરાછા-એ ઝોનમાં 1 અને ઉધના ઝોનમાં 5 કેસ નોંધાયા છે.


