By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં સાગમટે 52 ખાનગી શાળાઓને શિક્ષણ કચેરીએ નોટિસ ફટકારાતા મચ્યો હોબાળો : સંચાલકોમાં રોષ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં સાગમટે 52 ખાનગી શાળાઓને શિક્ષણ કચેરીએ નોટિસ ફટકારાતા મચ્યો હોબાળો : સંચાલકોમાં રોષ
GeneralSurat

સુરતમાં સાગમટે 52 ખાનગી શાળાઓને શિક્ષણ કચેરીએ નોટિસ ફટકારાતા મચ્યો હોબાળો : સંચાલકોમાં રોષ

HM News
Last updated: 26/03/2022 10:46 AM
HM News
3 years ago
Share
SHARE

– અગાઉ 13 શાળાના સંચાલકોને રૂબરૂ બોલાવાયા હતા.તે પૈકી પણ માત્ર 7 શાળા સામે જ પગલાં લેવાતા દાળમાં કઇક કાચું રંધાયું હોવાની ચર્ચા હતી

સુરત : સુરત શહેરની 52 સ્વનિર્ભર શાળાઓ પર બીયુ સર્ટિફિકેટ તેમજ રમતગમતના મેદાન મુદ્દે લટકતી તલવાર જોવા મળી રહી છે.જેના શિક્ષણજગતમાં ભારે ઊહાપોહ સાથે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ શાળાઓને ફટકારેલી નોટિસને પગલે શાળા સંચાલકોમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે.દરમિયાન એક આરટીઆઇમાં 75 શાળાના ઉલ્લેખ સામે 52 શાળાઓને એકસાથે નોટિસ ફટકારતા માહોલ ગરમાયો છે.સુરતની શાળાઓને ફટકારાયેલી નોટિસ મુદ્દે શાળા સંચાલકોના પ્રતિનિધિ મંડળે રાજ્યસ્તરે રજૂઆત કરી છે.

સુરત શહેરની 52 સ્વનિર્ભર શાળાઓને નોટિસ ફટકારવાના પ્રકરણમાં શાળા સંચાલકોના જણાવ્યા મુજબ , 2020 ના વર્ષમાં શાળાઓમાં મેદાનની સુવિધા,બીયુ સર્ટિફિકેટ સહિતની બાબતોને કેન્દ્રમાં રાખીને આરટીઆઇ કરાઇ હતી.તે યાદીમાં સુરતની 75 શાળાઓના નામની યાદી,ફોટા સહિતની વિગતો સામેલ હતી.જેમાં પ્રથમ તબક્કામાં એકલદોકલ શાળાઓને નોટિસ ફટકારવાની સાથે જ તેની મંજૂરી રદ કરવા માટે તજવીજ હાથ ધરાઇ હતી.આ પ્રયોગ સફળ રહેતા એકસાથે 52 શાળાઓને નોટિસ ફટકારાઇ છે.જેને લઇને ઊહાપોહ શરૂ થયો છે.

52 શાળાઓને નોટિસ અને રાજ્યસ્તરે રજૂઆત મુદ્દે રાષ્ટ્રીય સ્વનિર્ભર શાળા સંચાલક મહાસંઘએ જણાવ્યુ હતું કે , શિક્ષણાધિકારી કચેરી દ્વારા શાળાઓને અપાયેલી નોટિસ મુદ્દે રાજ્યસ્તરે રજૂઆત કરી છે.તેનો હકારાત્મક પ્રતિસાદ મળશે એવી ખાતરી છે. જ્યારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સુરતએ જણાવ્યું હતું કે 52 શાળા બંધ થશે તો હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર મુકાવાની સાથે અનેક કર્મચારી,શિક્ષકોની રોજગારી છીનવાશે.આ પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી અમે રજૂઆતો કરતા રહીશું.

અત્રે નોંધનીય છે કે ફી નિયમન એફઆરસી મુદ્દે પણ કમઠાણ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહ્યું છે ઉપરાંત કોરોનાકાળમાં પણ ફી મુદ્દે શહેરભરના વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો હતો ત્યારે પણ સ્થાનિક શિક્ષણ કચેરી વિવાદમાં આવી હતી અને હાલમાં એક સાથે 52 શાળાઓને નોટીસ ફટકારતા ફરી શાળા સંચાલકો અને શિક્ષણ કચેરી વચ્ચે ઘર્ષણ વધવાના સંકેત વર્તાઈ રહ્યા છે.નોટીસને સંચાલકો ઉગ્ર રજુઆત કરવાના હોવાનું પણ જાણવા મળ્યું છે.હાલમાં બીયુ સિર્ટીફીકેટને લઇ સંચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે તો આવનારા દિવસોમાં આ વિવાદ થંભશે કે વધુ વકરશે તે જોવું રહ્યું.

ગતિશીલ ગુજરાત : ચીખલીના પાંચ ગામોમાં ગેરકાયદે બાંધકામ મામલે તલાટીઓ TDOને પણ ગોળ ગોળ ફેરવે છે ! માહિતી છુપાવવા ગલ્લા તલ્લાં
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી છ ઑગસ્ટે, જરૂર પડી તો તે જ દિવસે થશે કાઉન્ટિંગ
લખીમપુર હિંસાના મુખ્ય આરોપી આશિષ મિશ્રાએ સરેન્ડર કર્યુ, સુપ્રીમ કોર્ટે રદ કર્યા હતા જામીન
CM વિજય રૂપાણીએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો‌, લોકોને પણ વેક્સિન લેવા અનુરોધ કર્યો
યસ બેન્કના ખાતેદારો ગ્રાહકો બેન્કમાંથી 50,000 હજાર રૂપિયા ઉપાડી શકશે!
Share This Article
Facebook Email Print
Previous Article IPLમાં સતત ચોથા વર્ષેથી નથી થઈ રહી ઓપનિંગ સેરેમની, જાણો કારણ…
Next Article ઝારખંડ સરકારે કોલસાની બાકી રકમને લઈને કેન્દ્ર અને કોલસા કંપનીઓ પર પ્રહાર કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up