By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં સ્ટાર પ્રચારકોનો પ્રચાર, ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે સભા ગજવી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં સ્ટાર પ્રચારકોનો પ્રચાર, ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે સભા ગજવી
GeneralPoliticsSurat

સુરતમાં સ્ટાર પ્રચારકોનો પ્રચાર, ભગવંત માન અને અરવિંદ કેજરીવાલે સભા ગજવી

HM News
Last updated: 23/11/2022 11:27 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે.રાજકીય પાર્ટીના સ્ટાર પ્રચારકો સુરતમાં આવી સભા ગજવી રહ્યા છે ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સુરતમાં સભા સંબોધી હતી.

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને માહોલ ગરમાયો છે તેમજ પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે.સુરતમાં ભાજપ,કોંગ્રેસ,આમ આદમી પાર્ટી તેમજ અન્ય પાર્ટીના નેતાઓ સભા ગજવી મતદારોને રીઝવવાના પ્રયાસો કરવા આવી રહ્યા છે.દિગ્ગજ નેતાઓ સુરતમાં અલગ-અલગ જગ્યાએ સભા યોજી રહ્યા છે.સુરતમાં દરેક રાજકીય પક્ષો દ્વારા સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે.અલગ-અલગ રાજ્યોના સીએમ તેમજ દિગ્ગજ નેતાઓ સુરતમાં આવી રહ્યા છે અને સભા ગજવી રહ્યા છે.ત્યારે સુરતમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કતારગામ વિસ્તારમાં સભા સંબોધી હતી.

અરવિંદ કેજરીવાલે સભામાં કહ્યું હતું કે, આ લોકો કહેતા હતા કે ગુજરાતમાં ફક્ત ભાજપ અને કોંગ્રેસ જ છે પરંતુ સુરતમાં કોર્પોરેશનની ચુંટણીમાં AAPની 27 સીટ આવી હતી. જેની દેશભરમાં ચર્ચાઓ થઇ હતી.આજે ગુજરાતમાં કોસો દુર જ્યારે ભાજપના નેતાઓ રોવે છે તો માં કહે છે કે બેટા સુઈ જા નહિ તો આપ પાર્ટીના કાર્યકરો આવી જશે.તેઓ એટલા માટે ડરે છે કારણ કે અમે 27 વર્ષનો હિસાબ માંગીએ છીએ,મોરબી મુદ્દે હત્યારા ખુલ્લેઆમ કેમ ફરી રહ્યા છે.આવા સવાલો કરીએ છીએ એટલે ડિબેટમાં આપ પાર્ટીના લોકોને બોલાવવાની ના કહે છે.સુરતના લોકોએ અમોને ઘણો પ્રેમ આપ્યો છે. તેઓએ સુરતના લોકોને આપ પાર્ટીને જીત અપાવવા હાંકલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે સુરતમાં ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે.સુરતમાં દિગ્ગજ નેતાઓ અને અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમજ સ્ટાર પ્રચારકો આવી રહ્યા છે અને પોત પોતાના રાજકીય પક્ષો અને ઉમેદવારોનો પ્રચાર જોર શોરમાં કરી રહ્યા છે.આ વખતે ચૂંટણીમાં ત્રીપાંખિયો જંગ જામવાનો છે.ત્યારે સુરત શહેરમાં ચૂંટણીના પરિણામો રસપ્રદ રહેશે તેમાં કોઈ બેમત નથી.

પ.બંગાળમાં ભાજપનો વિજય નિશ્ચિત છે : PM મોદી
સ્મૃતિ ઈરાનીની પુત્રી ગોવામાં ગેરકાયદે બાર ચલાવતી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
સુરત મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ સાથે 200 કર્મચારીઓની ટીમ નવસારી અસરગ્રસ્ત વિસ્તાર માટે રવાના
મધ્ય પ્રદેશ : સીએમ શિવરાજ સિંહના રોડ-શોમાં કોરોનાના નિયમોના ભંગ બદલ FIR થઈ
જોળવાની મિલોમાં બોઇલરમાં વેસ્ટ કાપડની ચીંધી બાળવામાં આવતા પ્રજાએ જનતા રેડ કરી
Share This Article
Facebook Email Print
Previous Article “મઝાર હોય કે કબર! ગેરકાનૂની હશે તો તોડી જ પડાશે”, ખંભાતમાં અમીત શાહના ભાષણથી ચૂંટણીમાં આવ્યો ગરમાવો
Next Article દાઉદ ઇબ્રાહિમ ઘડી રહ્યો છે નરેન્દ્ર મોદીને મારવાનું કાવતરું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up