By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં 24 વર્ષીય યુવતીએ સગાઈના પાંચ દિવસ પહેલા જ કર્યો આપઘાત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં 24 વર્ષીય યુવતીએ સગાઈના પાંચ દિવસ પહેલા જ કર્યો આપઘાત
GeneralSurat

સુરતમાં 24 વર્ષીય યુવતીએ સગાઈના પાંચ દિવસ પહેલા જ કર્યો આપઘાત

HM News
Last updated: 11/03/2021 8:11 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત જિલ્લામાં એક દુઃખદ કિસ્સો સામે આવ્યો છે.જેમાં 24 વર્ષીય યુવતીએ પોતાની સગાઈ પહેલા જ આપઘાત કરી લેતા પરિવારના સભ્યો શોકમાં ગરકાવ થઈ ગયા છે.યુવતીએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે.સુરતના બારડોલીના ધામદોડ લુભા ગામ ખાતે આ બનાવ બન્યો હતો. આપઘાત કરી લેનારી યુવતીએ.બી.ઈ. સુધીનો અભ્યાસ કર્યો છે.આપઘાત કરી લેનાર યુવતીનું નામ અંજલી છે.અંજલીની બે બહેનોનાં લગ્ન થઈ ગયા છે,જ્યારે પરિવારે પાંચ દિવસ બાદ અંજલીને સગાઈ નક્કી કરી હતી.આ દરમિયાન જ અંજલીએ આપઘાત કરી લેતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્ય પ્રદેશના ગિરવરસિંહ પરપાલસિંહ ભદોરીયા એક કારના શોરૂમ ખાતે વૉચમેન તરીકે નોકરી કરે છે.તેમને સંતાનમાં 24 વર્ષની દીકરી હતી જેની સગાઈ નક્કી કરી હતી.બુધવારે ગિરવરસિંહ પોતાના નિત્યક્રમ પ્રમાણે સવારે ઉઠીને નોકરી પર ચાલ્યા ગયા હતા.જે બાદમાં તેમના પત્ની મંદિર જવાની તૈયારી કરતા હતા.

દીકરીએ દરવાજો ન ખોલ્યો

માતાને મંદિર જવાનું હોવાથી તેણીએ પોતાની દીકરીને ઉઠવા માટેની બૂમ પાડી હતી.જોકે,અનેક વખત કહેવા છતાં અંજલીએ દરવાજો ખોલ્યો ન હતો.જે બાદમાં તેમને કંઈક અજુગતુ બન્યાની શંકા પડી હતી.આ દરમિયાન યુવતીના ભાઈઓ પણ જાગી ગયા હતા.તેમણે બારીમાંથી જોયું તો અંજલી પંખા સાથે લટકી રહી હતી.જે બાદમાં તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી.આ મામલે પોલીસે અકસ્માતે મોતને ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.અંજલીએ કયા કારણથી આપઘાત કરી લીધો છે તે જાણવા મળ્યું નથી.

પાંચ દિવસ બાદ સગાઈ હતી

મળતી માહિતી પ્રમાણે આગામી 15મી માર્ચના રોજ અંજલીની અમદાવાદના યુવક સાથે સગાઈ નક્કી કરવામાં આવી હતી.અમદાવાદનો પરિવાર અંજલીના ઘરે આવ્યો હતો અને 15મી તારીખે સગાઈ નક્કી કરી હતી.આ માટેની તમામ તૈયારી પણ કરી દેવામાં આવી હતી.બીજી તરફ સગાઈના પાંચ દિવસ પહેલા જ અંજલીએ આપઘાત કરી લેતા બંને પક્ષના લોકો સ્તબ્ધ થઈ ગયા હતા.અંજલીએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે તે વાત જાણવા મળી નથી.આ મામલે પોલીસ તપાસ બાદ જ કોઈ કારણ સામે આવશે.

મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેનથી મહારાષ્ટ્રને કોઈ ફાયદો નહીં થાય : CM ઉધ્ધવ ઠાકરે
આવતીકાલે 6 મહાનગર પાલિકાની ચૂંટણીનું મતદાન,25 ટકા થી વધુ મતદાન મથકો સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા
સિવિલમાં કુટુંબ નિયોજનના ઓ.ટી અને વોર્ડની બહાર વરસાદી પાણી પહોંચ્યું
જેટ એરવેઝના પૂર્વ સીઈઓ નરેશ ગોયલના ઘર પર EDના દરોડા
દક્ષિણ ગુજરાતના વિવિધ શહેરોના કુવૈતમાં કામ અર્થે ગયેલા 200 લોકો લોકડાઉનમાં ફસાયા
Share This Article
Facebook Email Print
Previous Article શિવરાત્રિ : જાણો શિવલિંગ પર કેમ પાણી, દૂધ, દહીં અને શીતલતા આપતી વસ્તુઓ ચઢાવવામાં આવે છે
Next Article વલસાડમાં ગૌવંશ તસ્કરોએ જીપ ચડાવી, PSI નું 2 રાઉન્ડ ફાયરિંગ, ફિલ્મોને ટક્કર મારે તેવા દ્રશ્યોથી ફફડાટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up