By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: સુરતમાં 5 એપ્રિલ સુધી મહત્વના કામો જ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કરાશે, કોરોના વકરતા વકીલો દ્વારા ઠરાવ પસાર કરાયો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં 5 એપ્રિલ સુધી મહત્વના કામો જ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કરાશે, કોરોના વકરતા વકીલો દ્વારા ઠરાવ પસાર કરાયો
GeneralSurat

સુરતમાં 5 એપ્રિલ સુધી મહત્વના કામો જ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં કરાશે, કોરોના વકરતા વકીલો દ્વારા ઠરાવ પસાર કરાયો

HM News
Last updated: 25/03/2021 10:48 AM
HM News
4 years ago
Share
SHARE

– ડિસ્ટ્રીક્ટ પ્રિન્સીપાલ જજને પણ લેખિતમાં જાણ કરાઈ

સુરત : સુરતમાં વધતા કોરોના સંક્રમણની અસર હવે ન્યાયાલય પર પણ દેખાઈ રહી છે.સુરત ડિસ્ટ્રીક્ટ બાર એસોસિયેશન દ્વારા અગત્યના કામ સિવાયની કામગીરીથી અળગા રહેવા માટે ઠરાવ પસાર કર્યો છે.વકીલ મંડળ દ્વારા 25 માર્ચ થી 5 એપ્રિલ સુધી સુરત ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં મહત્વના કામો જ કરવામાં આવશે.સુરત ડીસ્ટ્રીક બાર એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોર્ટ પરિસરમાં લોકોની અવરજવર ખૂબ જ મોટા પ્રમાણમાં રહે છે.જેથી સંક્રમણ વધુ ન ફેલાય તે માટે જજને પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે.

કોર્ટ બિલ્ડિંગ 10 માળનું હોવાથી લગભગ તમામ લોકો લિફ્ટનો પણ મહત્તમ ઉપયોગ કરે છે.છેલ્લા ઘણા સમયમાં સુરત કોર્ટના કર્મચારીઓ અને વકીલો પણ કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે.જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બાર એસોસિએશન દ્વારા આજે મળેલી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો છે.સુરત બાર એસોસિએશન દ્વારા આ અંગે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક જજને પણ લેખિતમાં જાણ કરી છે.કોરોના સંક્રમણને કારણે કેટલાક મહત્ત્વના કેસમાં જો પક્ષકાર હાજર ન રહેતો તેની સામે વોરંટ ઈસ્યુ ન કરવા માટે રજૂઆત કરવામાં આવી છે.કેસને યથાસ્થિતિ રાખીને અન્ય તારીખ કાપવા માટે વિનંતી કરી છે.વકીલ મંડળ દ્વારા રિમાન્ડ અરજી,જમીન અરજી વગેરેના કામોને બાદ કરતા અન્ય કામોથી અળગા રહેવા માટે નિર્ણય લેવાયો છે.સુરત શહેરમાં રોજના કોરોના સંક્રમણના કેસ વધતા વરિષ્ઠ નાગરિકોને કોર્ટમાં ન આવવા માટે પહેલાથી જ જાણ કરી દેવામાં આવી હતી.

સુરતમાં 10 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા કરનારા નરપિશાચ દિનેશ બૈસાણેને ફાંસીની સજા
દિલ્હીઃ હિંસા ભડકાવવા પાછળ ISIનો હાથઃ નાપાક ષડયંત્ર રચી રહ્યું છે પાકિસ્તાન
વિશ્વમાં અસંગઠિત ક્ષેત્રના 160 કરોડ શ્રમિકો આજીવિકા ગુમાવી શકેઃ ILO
ભારતમાં રોકાણ માટે ચીન થયું રઘવાયું : 9 મહિનામાં FDIના 120 પ્રસ્તાવ મોકલ્યા
ભાજપે મોદી વિ. મમતાની લડાઈ બનાવી: મોદીની છબી પણ બગડી
Share This Article
Facebook Email Print
Previous Article ભારતીય શેરબજારમાં ડેરિવેટીવ્ઝ વલણના અંતે ફંડોની અવિરત વેચવાલી…!!
Next Article સુરતમાં કર્ફ્યૂને કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકી ઊંચકી હોસ્પિટલ તરફ દોડી પરંતુ બાળકીએ જીવ ગુમાવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up