– શંકાસ્પદ કોરોનામાં ભરડામાં નવા 12 વ્યક્તિ ઝપેટમાં, 9ના રિપોર્ટ નેગેટિવ આવ્યા
સુરત, તા 11 એપ્રિલ 2020 શનિવાર
સુરતમાં આજે પણ એક દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ થઇ ગઇ હતી જ્યારે શંકાસ્પદ કોરોના અજગરી ભરડામાં નવા 11 દર્દીઓ સપડાયા છે અને નવ દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સલાબતપુરા વિસ્તારમાં આવેલા ધામનાવાડમાં મારે તો 32 વર્ષીય અંકુર વસસોલીયાવાલાને કોરોના ચિન્હો દેખાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે જ્યાં આજે સવારે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જ્યારે શહેરમાં શંકાસ્પદ કોરોના વકરી રહ્યો હોવાથી આજે વધુ 12 વ્યક્તિઓ ઝપેટમાં આવ્યા છે.
જોકે શંકાસ્પદ કોરોનામાં 4 – વૃદ્ધ,, 3 – મહિલા, 4- પુરૂષ અને 1 બાળકને સારવાર માટે વિવિધ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે 9 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.
અત્યાર સુધીમાં સુરત શહેરમાં શંકાસ્પદ કોરોનામા લપેટમાં આવેલા 304 દર્દી પૈકી 26 પોઝિટિવ આવ્યા અને 4 વ્યક્તિનું મોત થયું છે જ્યારે 273 નેગેટિવ આવ્યા અને 5 રિપોર્ટ પેન્ડિંગ છે જ્યારે સુરત જિલ્લામાં બે દર્દી અને સુરત શહેરના 26 દર્દી મળી કુલ 28 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
સુરતમાં 9 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા
સુરત શહેર વિવિધ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોના દાખલ દર્દીઓમાં 9 દર્દીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જેમાં પાંડેસરાની મહિલા ,નાનપુરાના યુવાન , ગોડાદરાના વૃદ્ધ, કતારગામના યુવાન, પુણના આધેડ, ડીંડોલીના વૃદ્ધા, પરવત પાટીયાની મહિલા, સરથાણાના વૃદ્ધ અને ડિંડોલીના યુવાનનો સમાવેશ થાય છે.