સુરત : કોરોના વાઇરસને લઈને લોકડાઉન ચાલે છે ત્યારે સુરતમાં ફસાયેલ કારીગરોને તંત્ર દ્વારા વતન મોકલવામાં આવે છે,ત્યારે વતન જવાની માગ કરતા શ્રમિકો માટે તંત્ર દ્વારા રોજ રોજ નિયમો ફેરવવામાં આવ રહ્યાં છે. સૌ પ્રથમ ઓડિશા જવાની ટ્રેન શરૂ કરવામાં આવી પરંતુ ઓડિશા હાઈકોર્ટ દ્વારા શ્રમિકોને કોરોના ટેસ્ટ કર્યા બાદ નેગેટિવ લોકોને જ રાજ્યમાં આવવા કહેતા ટ્રેન કેન્સલ કરાઈ છે.ત્યારબાદ બિહાર અને ઝાડખંડ ટ્રેન રદ કરવામાં આવી. જેને લઇને વતન જાવવા માંગતા લોકો મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરાવા માટે પહોંચ્યા હતા જોકે તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન બંધ કરી નાખવામાં આવ્યું હતું તે સાથે આજે ઉત્તર પ્રદેશ જવા વળી ટ્રેન રદ કરવામાં આવી હોવાની એક અફવાને લઇને ત્યાં હજાર લોકો અધીરા બન્યા હતા કે તે વતન નહિ જય શકે તેને લઇને આ કારીગરો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો કોરોના વાઇરસને લઇને લોકડાઉન ચાલી રહ્યુ છે ત્યારે સુરતમાં રહેતા અલગ અલગ રાજ્યના લોકો વેપાર ઉધોગ બંધહોવાને લઇને સતત વતન જવાની માંગ કરી રહ્યા હતા.કારણકે તેમની પાસે હવે રૂપિયા પણ નથી ત્યારે સતત વિરોધ વચ્ચે સરકાર દ્વારા તેમને વતન જવા માટે ટ્રેન શરુ કરી આપી હતી.
પણ ગતરોજ ઓડિસા સરકાર દ્વારા હાઇકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે જે લોકો સુરત થી વતન આવી રહ્યા હોય તે તમામ લોકોનો કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ મોકલવા જેને લઇને આજે સુરતથી ઓડિસા જનારી 3 જેટલી ટ્રેન રદ કરવામાં આવી હતી.તેની સાથે તંત્ર દ્વારા બિહાર અને ઝાડખંડની ટ્રેન પણ રદ કરવામાં આવી હતી જેને લઇને સુરતમાં રહેતા પર પ્રાંતના લોકો સૌથી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન ગોડાદરામાં આવેલી અરિહંત એકેડમી ખાતે કરાવવા પહોંચી ગયા હતા.
કારણકે સરકાર જો ટ્રેન બંધ કરી નાખેતો તેમને અટવાઈ જવાનો વારો આવે જેને લઇને લોકોમોટો સંખ્યા માં પોતાનું રજીસ્ટ્રેશન કરવા પહોંચ્યા હતા જોકે લોકો વધુ એકઠા થઈ જતા તંત્ર દ્વારા રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યુ હતું તે સમયે એક એવી 0અફવા પણ ફેલાઈ હતીકે ઉત્તર પ્રદેશ જનારી ટ્રેન રદ કરવામાં આવી છે.જેને લઇને રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરતા ત્યાં હાજર અને વતન જવા માટે તલપાપડ થઈ રહેલાં લોકો રોષે ભરાયા હતા અને જોત જોતામાં હંગામો કરી નાખ્યો હતો. જોકે ઘટનાની જાણકારી મળતા પોલીસ બનાવ વાળી જગ્યા પર પહોંચીને મામલો શાંત પાડ્યો હતો અને આવી કોઈ વાત નથી આ વાત માત્ર અફવા છે તેવું કહીને લોકોને ત્યાંથી રવાના કર્યા હતા.