સુરત, તા. 21 મે 2021, શુક્રવાર : રાજ્ય સરકારની નવી ગાઈડલાઈન બાદ કાપડ બજાર આજ રોજથી શરૂ થયું છે.વેપારીઓ ખુશ પણ છે.પરંતુ માર્કેટમાં પહેલાં દિવસે 40-50 ટકા જેટલી હાજરી છે.અટકેલું કામ પૂરું કરવા માટે વેપારીઓ દુકાનમાં આવ્યાં છે. જોકે, માર્કેટ વિસ્તારમાં રસ્તાઓ ઉપર એટલી ભીડભાડ નથી.
વેપારીઓ માટે કામકાજ શરૂ કરવા દેવાનો સરકારનો નિર્ણય યથાયોગ્ય છે.ધંધા વેપાર માટે સવારે 9 થી બપોરના 3 સુધી વેપાર કરવા દેવાની સરકારની જાહેરાતને આજે પહેલાં દિવસે વેપારીઓ તરફથી પ્રતિભાવ આપવામાં આવ્યો છે.રીંગરોડ કાપડ વિસ્તારમાં સૌથી જૂની સુરત ટેક્સટાઇલ માર્કેટમાં 40-50 ટકા વેપારીઓએ આજે કામકાજ માટે પોતાની દુકાનો ખોલી હતી.પહેલો દિવસ હોવાથી ઘણાં વેપારીઓએ બિનજરૂરી ઉતાવળ બતાવી નથી.પેપર વર્ક બાકી રહ્યું છે,તેવા વેપારીઓએ આજે પોતાની દુકાનો મર્યાદિત સ્ટાફ સાથે શરૂ કરી હતી.
Post Views: 2