સુરતમાં ઉધના બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધનસુખ રાજપૂતનો વિરોધ થઈ રહ્યો છે.કોંગ્રેસના કાર્યકર્તાઓએ જ વિરોધ કર્યો છે.એક જ ઉમેદવારને 8 વખત ટિકિટ આપવામાં આવતા વિરોધ શરૂ થયો છે.એકવાર લોકસભા,એકવાર વિધાનસભાની ટિકિટ તેમજ 5 વાર કોર્પોરેશનની ટિકિટ પણ મળી છે.જેમાં 3 વખત જીત્યા અને 2 વખત હાર્યા છે.વિધાનસભા અને લોકસભામાં હાર પણ મેળવી ચુક્યા છે.ઉમેદવાર નહી બદલાય તો સામુહિક રાજીનામાની ચિમકી આપી છે.
– સુરત કોંગ્રેસમાં વિરોધનો સુર
– કોંગ્રેસના કાર્યકરોએ જ કર્યો ધનસુખ રાજપૂતનો વિરોધ
– વિરોધના કારણે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી સુરતમાં
– ઉધના બેઠક પર ઉમેદવાર બદલવા કાર્યકરોની માગ
દલિત સમાજના લોકોમાં વધુ નારાજગી છે. 60 હજારથી વધુ મારાઠીઓની વસ્તી છે.તેમજ 40 હજાર દલિત છે.ઉત્તર ભારતીય માત્ર 25થી 30 હજાર છે. 35 હજારથી વધુ લઘુમતી મતદારો છે.વિરોધને પગલે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી સુરત દોડતા આવ્યા છે.રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનીક મહામંત્રી છે.