– લગ્ન પુનઃ સ્થાપન ના દાવા માં માતા એ કરેલી ભરણ પોષણ ની અરજી અંશતઃ મંજુર કરી કોર્ટે બાળકી પુરતો વચગાળાનો હુકમ કરી આપ્યો
સુરત,તા. 18 : કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન દરમિયાન આવી પડેલી આર્થિક કટોકટી ને લીધે દોઢ વર્ષ ના બાળક માટે ભરણપોષણ મેળવવા કરેલી વચગાળાની અરજી કોર્ટે અંશતઃ મંજુર કરી છે.ઓનલાઈન બાળક ને રમાડવા દેવાની અરજી માં સંમતી દર્શાવ્યા બાદ પત્નિ એ આ અરજી કરી હતી.
આ કેસ ની વિગત એવી છે કે,શહેર ના પારલે પોઈન્ટ ખાતે રહેતા રાહુલ (નામ બદલેલ છે) ના લગ્ન કતારગામ વિસ્તારમાં માં રહેતી સીમા (નામ બદલેલ છે) સાથે થયા હતાં. જેમાં તેમને હાલ દોઢ વર્ષની પુત્રી છે.થોડો સમય સાથે રહ્યા બાદ દંપતી વચ્ચે ખટરાગ થયો હતો અને સીમા પીયર રહેવા આવી ગઈ હતી. જેથી પતિએ ફેમિલી કોર્ટ માં વાલી અરજી અને લગ્ન પુનઃ સ્થાપન નો દાવો કર્યો હતો.
દરમિયાન લોકડાઉન આવી જતાં પતિએ ઓનલાઇન બાળક ને રમાડવાની અરજી કરી હતી.જેમાં પત્ની એ હકારાત્મક વલણ અપનાવ્યું હતું.ત્યારબાદ લોકડાઉન ને લીધે તેણી ને આર્થિક તકલીફ હોય પતિ પાસે ભરણપોષણ મેળવવા લગ્ન પુનઃ સ્થાપન ના દાવામાં જ એડવોકેટ અશ્વિન જોગડિયા મારફતે વચગાળા ની અરજી કરી હતી.ઓનલાઈન થયેલી સુનવણીમાં તેમણે રજુઆત કરી હતી કે, બાળક ના રોજના 60 રૂપિયા દૂધ નો ખર્ચ થાય છે.બંને પક્ષકારો ને સાંભળ્યા બાદ કોર્ટે પુત્રી માટે માસિક એક હજાર રૂપિયા ચૂકવવા પતિ ને હુકમ કર્યો હતો.જ્યારે વચગાળા ની અરજી માં પત્ની માટે કોઈ હુકમ કર્યો ન હતો.